SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષ માર્ગ ૧૩૩ ૪ ૨ ૦. સૂત્રોચ્ચારરૂપ શબ્દમય પ્રતિક્રમણ, શબ્દમય પચ્ચખાણ, શબ્દમય નિયમ, શબ્દમય આલોચના – આ બધું કેવળ સ્વાધ્યાય છે એમ જાણો. ૪ ૨૧. જો શક્તિ હોય તો ધ્યાનમય પ્રતિક્રમણાદિ જ કરવાં. જો એવી શક્તિ ન હોય તો. ‘શુદ્ધ માર્ગ એ જ છે એવી શ્રદ્ધાનું અવલંબન લેવું. ૪ ૨ ૨. સામાચિક, ચોવીશ જિનેશ્વરની સ્તુતિ, ગુરુવંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્ચખાણ–આ છે આવશ્યક છે. ૪૨ ૩. ઘાસ હોય કે સોનું, શત્રુ હોય કે મિત્ર – દરેક પ્રત્યે સમાન ભાવ અનુભવવો એ સામાયિક છે. ચિત્ત વિક્ષોભરહિત હોય અથવા ઉચિત પ્રવૃત્તિ (સ્વાધ્યાય આદિ)માં લાગેલું હોય એ સામાયિકની અવસ્થા છે. વીતરાગભાવનો આશરો લઈ વચનોચ્ચાર વગેરે ક્રિયાઓ છોડી જે આત્માનું ધ્યાન કરે છે તેને પરમ સામાયિકની સ્થિતિ પ્રાપ્ત થાય છે. ૪ ૨૪. ૪ ૨૫. સર્વ પાપકર્યોથી વિરમી, મન-વચન-કાયાને શાંત કરી ઈન્દ્રિયોને વશમાં રાખી, જે વ્યક્તિ સમતાનો અભ્યાસ કરે છે તેનું સામાયિક સ્થિર થાય છે એમ કેવળી. ભગવાને કહ્યું છે. ૪ ૨ ૬. ત્રસ અને સ્થાવર બધા જીવો પર જે સમભાવ રાખે છે તેનું સામાયિક સ્થિર થયેલું છે એમ કેવળ ભગવાને કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008025
Book TitleSaman suttam Jain Dharmasara
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherJain Sahitya Academy
Publication Year1995
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy