SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા આ ગ્રંથ-“સમણસુત્ત'ની સકલના પૂજ્ય વિનોબાજીની પ્રેરણાથી થઈ છે. એ જ પ્રેરણા અનુસાર સગીતિનું આયોજન થયું અને એમાં આના પ્રારૂપને સ્વીકૃતિ મળી આ એક વિશિષ્ટ ઐતિહાસિક ઘટના છે વિશ્વના તમામ ધર્મોનું મૂળ છે—– આત્મા અને પરમાત્મા તત્ત્વરૂપ આ બે સ્તભો પર ધર્મનાં ભવ્ય ભવન ઉભારવામાં આવ્યા છે. વિશ્વના કેટલાય ધર્મો આત્મવાદી છે અને સાથે ઈશ્વરવાદી પણ છે, તો વળી કેટલાક નિરીશ્વરવાદી. છે. ઈશ્વરવાદી પરંપરા તેને કહેવાય જેમાં સૃષ્ટિનો કર્તા ધર્તા અને નિયામક એક સર્વશક્તિમાન ઈશ્વર અથવા પરમાત્માને માનવામાં આવે છે સષ્ટિનો તમામ આધાર એના પર જ છે. એને જ બ્રહ્મા, વિધાતા, પરમપિતા વગેરે નામોથી ઓળખે છે આ પરંપરાની માન્યતા છે કે પૃથ્વી પર જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે ભગવાન અવતાર લે છે, દુષ્ટોનો નાશ કરે છે, સૃષ્ટિનું સંરક્ષણ કરે છે અને એમા સદાચારનાં બીજ વાવે છે. નિરીશ્વરવાદી પરપરા બીજી પરપરા છે તે આત્મવાદી છે પણ સાથે સાથે નિરીશ્વરવાદી છે. એ પરપરા વ્યક્તિના સ્વતંત્ર વિકાસમાં માને છે પ્રત્યેક વ્યક્તિ અથવા જીવ પોતાનો સંપૂર્ણ વિકાસ સાધી શકે છે, પોતાનામાં રાગ-દ્વેષ-વિહીનતા અથવા વીતરાગતાનો સર્વોચ્ચ વિકાસ સાધી એ પરમપદને પામી શકે છે. એ પોતે જ પોતાનો નિયામક અને સંચાલક છે. પોતે જ પોતાનો મિત્ર અને પોતે જ પોતાનો શત્રુ છે. જૈન ધર્મ આ જ પરંપરામાંનો સ્વતંત્ર વૈજ્ઞાનિક ધર્મ છે આ જૈન પરપરા ટ્રકામાં “શ્રમણ સસ્કૃતિ”ને નામે ઓળખાય છે આ આધ્યાત્મિક પરંપરામાં બૌદ્ધ વગેરે ધર્મો પણ આવે છે, જ્યારે ઈશ્વરવાદી ભારતીય પરંપરા બ્રાહ્મણ સંસ્કૃતિ'ને નામે ઓળખાય છે. પ્રાચીનતા કોઈ પણ ધર્મ પ્રાચીન કે અર્વાચીન હોવા માત્રથી એ શ્રેષ્ઠ છે એમ સાબિત નથી થતું પણ જો કોઈ ધાર્મિક પરંપરા પુરાણી હોય, અને દીર્ઘ કાળ સુધી એ XIV Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008025
Book TitleSaman suttam Jain Dharmasara
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherJain Sahitya Academy
Publication Year1995
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy