SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષ માર્ગ ૩૮ ૨. ૧૨૨૧ સૂર્ય અસ્ત થાય પછી અને ફરી પાછો ન ઊગે ત્યાં સુધી કોઈ પણ જાતના આહારની મુનિએ મનથી પણ ઈચ્છા ન કરવી. ૩૮૩. ત્રસ અને સ્થાવર એવા અનેક પ્રકારના સૂક્ષ્મ જીવો છે, જે રાત્રે જોઈ શકાતા નથી, તો રાત્રે આહારની શુદ્ધિ મુનિ કેવી રીતે કરી શકે ? ૨૬. સમિતિ-ગુપ્તિસૂત્ર (બ) આઠ પ્રવચનમાતા ૩૮૪. ઈર્યા (ગમન – આગમન), ભાષા, એષણા, આદાનનિક્ષેપ અને ઉત્સર્ગ – આ પાંચ સમિતિ છે; મનગુપ્તિ, વચન ગુપ્તિ અને કાયગુપ્તિ-એ ત્રણ ગુપ્તિઓ છે. ૩૮૫. આ આઠને પ્રવચનમાતા કહેવાય છે, કેમ કે જેમ માતા પુત્રને જન્મ આપે છે ને પછી તેનું પોષણ પણ કરે છે તેમ આ આઠ આચારો મુનિના જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણોને જન્મ આપે છે ને તેમનું રક્ષણ પણ કરે છે. (સમિતિ = સંભાળપૂર્વક કાર્ય કરવું. ગુપ્તિ = કાર્યથી વિરમી અંતર્મુખ થઈ રહેવું.) આમાંથી પાંચ સમિતિ એ ચારિત્રનો પ્રવૃત્તિમય ભાગ છે અને ગુપ્તિ એ અશુભથી પૂર્ણરૂપે દૂર થવારૂપ ચારિત્રનો નિવૃત્તિમય ભાગ છે. ૩૮૬. ૩૮૭. ગુપ્તિ દ્વારા ઈર્યા(ગમન-આગમન)આદિ પ્રવૃત્તિ બંધ થવાથી તે તે દોષી મુનિને લાગતા નથી. તેવી રીતે સમિતિ દ્વારા પ્રવૃત્તિ કરતી વખતે પણ દોષ નથી લાગતા. પ્રવૃત્તિ ન હોય ત્યારે ગુપ્તિ પ્રમાદને રોકે છે, પ્રવૃત્તિ હોય ત્યારે સમિતિ પ્રમાદને રોકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008025
Book TitleSaman suttam Jain Dharmasara
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherJain Sahitya Academy
Publication Year1995
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy