SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષ માર્ગ ૯૧ જેમ પ્રથમ શુભ વડે અશુભનો અંત આણ્ય તેમ શુદ્ધ વડે શુભનો પણ અંત આણવો સાધક આ ક્રમનું અનુસરણ કરી નિજ આત્માનું ધ્યાન કરે. ર૮પ. ર૮૬-૨૮૭. નિ ચ ન ચા િત ચારિત્રને હાનિ થાય તો નિશ્ચયનયાશ્રિત જ્ઞાન-દર્શનને પણ અવશ્ય હાનિ થાય છે જ્યારે વ્યવહા રન યાશ્રિત ચારિત્રની હાનિ થતા જ્ઞાનદર્શનની હાનિ થાય અથવા ન પણ થાય. શ્રદ્ધા એ નગર છે, તપ અને સંવર તેનાં દ્વાર અને સાંકળ છે ક્ષમા રૂપી અજેય અને સુરક્ષિત એવો તેનો કોટ છે. તપ રૂપ બાણો વડે કર્મરાજાનું બખ્તર ભેદી આંતરિક સંગ્રામમાં વિજયી થનાર મુનિ ભવભ્રમણથી. મુક્ત થઈ જાય છે ર૮૮. ૨૧. સાધના સૂત્ર જિન વ ચ ન અનુસાર આહાર, નિદ્રા અને આ સન એ ત્રણે પર કાબૂ મેળવી, ગુરૂકૃપાથી આત્મસ્વરૂપ જાણી. મુમુક્ષુએ નિજ આત્માનું ધ્યાન કરવું ૨૮૯. પૂર્ણ જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય, અજ્ઞાન અને મોહનો અત આવે તથા રાગ અને દ્વેષનો ક્ષય થાય ત્યારે અનત સુખ મ ય મોક્ષની ઉપલબ્ધિ થાય છે. રે ૯૦. અને મોક્ષની ઉપલબ્ધિ માટેનો આ છે માર્ગ : ગુરુ અને વડીલોની સેવા, અજ્ઞાનીના સંગનો ત્યાગ, સ્વાધ્યાય અને એકાતની આરાધના, સૂત્ર અને અર્થનુ મનન અને અખૂટ ધર્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008025
Book TitleSaman suttam Jain Dharmasara
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherJain Sahitya Academy
Publication Year1995
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy