SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષ માર્ગ ૨૭૦. જે આત્મા રાગને આધીન થઈ પરપદાર્થમાં શુભ-અશુભ ભાવ કરે છે તે સ્વથી ભ્રષ્ટ થઈને પરમાં રમનારો કહેવાય ૨ ૭૧.. જે સર્વ પરિગ્રહથી નિવૃત્ત થઈ સ્વમાં અનન્યભાવે લીના બની, પોતે પોતાને શુદ્ધ ત્રિકાળી તસ્વરૂપે જાણે-જુએ છે તે સ્વમાં રમનારો છે. ૨ ૭ર. નિશ્ચયનય થી જણેલા સત્યમાં નિષ્ઠા લાવ્યા વિના જે કંઈ વ્રત કે તપ કરવામાં આવે તેને ભગવાને બાળતા કે બાળવ્રત કહ્યાં છે. ૨૭૩. મહિના-મહિનાના ઉપવાસ કરે અને દર્ભની અણી પર રહે એટલા આહારથી પારણું કરે એવો તપસ્વી પણ શુદ્ધ ધર્મના સોળમા ભાગની યે બરોબરી કરી શકતો નથી રે ૭૪. ચારિત્ર એ જ ધર્મ છે, સમતા એ જ ધર્મ છે. મોહના ક્ષોભથી મુક્ત એવી જ્ઞાનધા રા એ જ સમતા ૨ ૭પ. સમતા, માધ્યસ્થ, શુદ્ધ ઉપયોગ, વીતરાગતા, ચારિત્ર, ધર્મ–આ બધા “સ્વ-ભાવ’ આરાધનારૂપ એક જ વસ્તુના વાચક શબ્દો છે. ૨૭૬. સૂત્ર અને તેના અર્થને સુંદર પ્રકારે જાણનાર, તપસંયમયુક્ત, રોગવિહીન અને સુખ-દુઃખને સમાન ગણનાર શ્રમણને શુદ્ધોપયોગમાં વર્તનારો કહ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008025
Book TitleSaman suttam Jain Dharmasara
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherJain Sahitya Academy
Publication Year1995
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy