SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ઠ ખંડ : ૫૦૭ : (નગ્ન રહેવામાં જ મુક્તિ છે અથવા શ્વેતામ્બરત્વમાં (વેત વસ્ત્ર ધારણ કરવામાં યા વસ્ત્ર–ધારણમાં) જ મુક્તિ છે, અથવા તવવાદ કે તર્કવાદમાં મુક્તિ છે, અથવા માત્ર પોતાના પક્ષની સેવા કરવામાં ( સાંપ્રદાયિક “વાડા”માં) મુક્તિ છે તે એ પ્રકારની માન્યતાઓ બેટી છે, કિંતુ કષાયે (રાગદ્વેષ–મેહ)થી મુક્તિ એ જ સાચી [ આધ્યાત્મિક ] મુક્તિ છે–એ પ્રકારને ઉપદેશ નીચેના ક્ષેકથી મળે છે– नाशाम्बरत्वे न सिताम्बरत्वे न तर्कवादे न च त-त्ववादे । न पक्षसेवाऽऽश्रयणेन मुक्तिः कषायमुक्तिः किल मुक्तिरेव ।। દેશના (જ્ઞાનપદેશ અથવા ધર્મોપદેશ) કેવી દેવી જોઈએ તે સમ્બન્ધમાં શ્રી હરિભદ્રસૂરિ કહે છે – चित्रा तु देशना तेषां स्याद् विनेयानुगुण्यतः । यस्मादेते महात्मानो भवव्याधि-मिषग्वरा ।। [યોગદૃષ્ટિસમુચ્ચય, ૧૩૨] અર્થ : એ [ કપિલ, સુરત (બુદ્ધ) વગેરે ] મહાત્માઓની દેશના (જ્ઞાનેપદેશ યા ધર્મોપદેશ) ભિન્ન ભિન્ન શ્રેણીના શિષ્યની યેગ્યતાને અનુસરીને જુદા જુદા પ્રકારની હોય છે, કેમકે તેઓ ભાવગના મહાન વૈદ્યો છે. તાત્પર્ય કે શ્રોતાજનના અધિકાર મુજબ તેમને પચી શકે તેમનાથી અમલમાં મૂકી શકાય-એવા પ્રકારની દેશના જુદા જુદા માણસે માટે જુદી જુદી હોય છે. કારણ કે આધ્યાત્મિક ઉન્નતિ એકદમ સાધી શકાતી નથી, કિંતુ તે કમિક હોઈ એક પછી એક પગથિયે તેમાં આગળ વધી શકાય છે. કૂદકે મારવા જતાં પગ ભાંગી જવાને મોટો ભય છે અને ઘણુય પગ ભાંગી બેઠા છે એવા અનુભવ થયા છે. જેમ કુશલ વૈદ્ય પિતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy