SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ ખંડ નહિ, પણ ભવિષ્યના જન્મ વખતે પણ (મનુષ્ય કે પશુમાં પુનઃજન્મ થતાં) મળી શકે. એટલે આપણને લાગે વળગે છે ત્યાં સુધી “પરલેક” શબ્દને એ વિશિષ્ટ અર્થ પણ કરે જોઈએ કે જેથી મનુષ્યસમાજ તથા પશુસમાજ પ્રત્યેની આપણું ફરજનું આપણને ભાન થાય અને તેની ફરજો બજાવી આપણે આ લેકની સાથેસાથે આપણે પરલેક (મૃત્યુ પછીનું જીવન) સુધારી શકીએ. એ દષ્ટિએ નીચેની વિચારધારા રજૂ કરવામાં આવે છે. પરલેક એટલે બીજે લેક, આપણા પિતા સિવાયના અન્ય લેકે. પરલોકને સુધાર એટલે બીજા લોકોને સુધાર. આપણું અર્થાત્ દરેક માણસની સામે પરિચિત અને સંસર્ગવાળા બે લેક તે સાફ છે. મનુષ્યસમાજ અને પશુસમાજ, આ બે સમાજને સુધારવાનો પ્રયત્ન તે પરલેકને સુધારવાને પ્રયત્ન કહી શકાય. પ્રત્યેક માણસ જે એમ દઢપણે સમજે કે અમારે દશ્યમાન પરલેક આ મનુષ્યસમાજ છે અને પરલેક સુધારવાને અર્થ આ મનુષ્યસમાજને સુધારે એ છે, તે મનુષ્યસમાજને નકશો જ બદલાઈ જાય. અને એ જ પ્રમાણે પશુસમાજ તરફ પણ સદ્ભાવના જમાવી શકાય છે અને એમના ખાવાપીવા, રહેવા વગેરેને ચાગ્ય પ્રબંધ કેજી શકાય છે. મનુષ્યસમાજના સુખસાધનમાં પશુસમાજને હિસે કંઈ એછે છે? અમેરિકા વગેરે દેશોની ગોશાળાઓ કેટલી સ્વચ્છ અને વ્યવસ્થિત છે ! માણસ મરીને પાછે કયાં જન્મશે એ નક્કી નથી. અતઃ માણસે એ ખ્યાલમાં લેવું આવશ્યક છે કે મનુષ્યસમાજ તથા પશુસમાજ નાનાવિધ બુરાઈઓ અને બીમારીઓથી દુર્ગતિરૂપ હશે તે મરીને એમાં જન્મ લેનાર તે (મનુષ્ય) પણ તે હતિનો ભંગ થશે. માટે કહિતની દષ્ટિએ તેમ જ સ્વહિતની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy