SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ = ૩૭૬ જેના દર્શન કરવામાં કરે છે તે ભવિષ્યમાં સેવાભાવી ધનાઢ્ય થાય છે. અપ્રામાણિકપણે ચાલનાર, કાવાદાવાથી, વિશ્વાસઘાતથી, બીજાની આંતરડી કકળાવીને પૈસા મેળવનાર માણસ ભવિષ્યની પાયમાલી વહોરી લે છે. પોતાને જ ખાતર જીવનાર માણસને ભવિષ્યમાં સહુ કઈ ત્યાગ કરે છે. સારાંશ એ છે કે મળેલ તકે અને સાધનો દુરુપયોગ ન થાય અને તેને સદુપયોગ જ થાય તેવી સાવધાનતા હમેશાં દરેક સમજુએ રાખવી જોઈએ-સ્વ-પરના હિત માટે, ઈહલેક-પરલોકના સુખ માટે. જેમ વ્યક્તિગત કર્મોમાંથી કુટુંબ-કુટુંબ વચ્ચેનાં સારાંમાઠાં કૌટુંબિક કર્મ શરૂ થાય છે, તેમ જ્યારે એક ગામ પિતાની આસપાસનાં ગામેને ત્રાસરૂપ થાય છે, આસપાસનાં ગામેની મેલાતને નુકસાન કરે છે, તેમનાં ઢેરની ચેરી કરે છે અને બીજા ગામનાં ખર્ચે પિતાને સ્વાર્થ સાધે છે, ત્યારે તે ગામ બીજાં ગામ સાથેનું ખરાબ કર્મ બાંધે છે. એ જ પ્રમાણે, એક દેશમાં વસતી કેમે, સંપ્રદાય, વગેના સારાંમાઠાં રીતરિવાજ, સાચી ખોટી માન્યતાઓ, સાચા ખોટા ધંધા તથા સ્વાર્થી કે પરમાર્થી જીવનથી આખાય દેશનું કર્મ ઘડાય છે, અને તેની પાપમાત્રાના આધિક્યના પરિણામે ભૂકંપ, અવૃષ્ટિ, અતિવૃષ્ટિ, દુષ્કાળ તથા લેગ, કેલેરા જેવા રે દેશમાં અવારનવાર દેખા દે છે, અથવા આન્તરિક સંઘર્ષ જન્મે છે. એ જ પ્રમાણે, એક દેશ બીજા દેશ સાથે સારો કે માટે સંબંધ રાખવાના પરિણામે સારે કે માઠ કર્મસંબંધ બાંધે છે, જે આન્તરરાષ્ટ્રીય કર્મબન્ધ કહેવાય અને તેનાં પરિણામ ભેગવવાં પઢે છે. સામુદાયિક દુષ્કર્મનાં કટુ ફળ સમુદાયવ્યાપી બને છે તેવા સમયમાં પણ વિશિષ્ટ પુણ્યશાળી જે હેય તે વાળવાળ સલામત પણ રહી શકે છે. .. . . . . . . . . . . . . . . . •• • • Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy