SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૩૦ : જૈન દર્શન હવે આપણે ઉપર જણાવેલ આત્માના પાંચ ભાવ જોઈએ. ઔપથમિક ભાવ: મેહનીય કર્મના ઉપશમથી જે અવસ્થા પ્રાપ્ત થાય છે તે પશમિક ભાવ છે. મેહનીયને એક ભેદ જે દર્શન મેહનીય તેના ઉપશમથી એક પ્રકારનું) જે સમ્યકત્વ (સમ્યગ્દર્શન) પ્રાપ્ત થાય છે તે અને મેહનીયને બીજો ભેદ જે ચારિત્રમેહનીય તેના ઉપશમથી (એક કક્ષાનું) જે ચારિત્ર પ્રાપ્ત થાય છે તે બંને ઔપશમિક ભાવના કહેવાય છે. ઉપશમથી પ્રગટનાર સમ્યક્ત્વ અને ચારિત્ર અનુક્રમે ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપથમિક ચારિત્ર કહેવાય છે. આમ ઔપશમિક ભાવ ૨– ૧ સમ્યક્ત્વ અને ૨ ચારિત્ર ક્ષાયિક ભાવ: કર્મના “ક્ષય થી થનારી અવસ્થા ક્ષાયિક ભાવ છે. ક્ષાયિક ભાવમાં (કેવલ) જ્ઞાનાવરણક્ષયસભૂત કેવલજ્ઞાન, (કેવલ) દર્શનાવરણક્ષયસભૂત કેવલદર્શન, મોહનીય કર્મના એક ભેદના (દર્શનમેહના) ક્ષયથી સમ્માદિત સમ્યકત્વ અને મેહનીય કર્મના બીજા ભેદના (ચારિત્રમેહના) ક્ષયથી સમ્માદિત ચારિત્ર અને અન્તરાયક્ષયસિદ્ધ પાંચ દાન-લાભ-ભેગ-ઉપભેળ-વાયલબ્ધિઓ એમ નવ લેવાય છે. આમાં ફક્ત ઘાતિકર્મ ક્ષયસાધિત ક્ષાયિક લેવાયા છે, યદ્યપિ “ક્ષય” સર્વ કર્મોને થાય છે. કેમકે આ નિરૂપણ ફક્ત ભવસ્થપણાને અનુલક્ષીને છે. ક્ષાયિક ભાવ ૯– ૧ કેવલજ્ઞાન, ૨ કેવલદાન, ૩ સમ્યકત્વ, ૪ ચારિત્ર અને પ-૯ દાનાદિ પાંચ લબ્ધિઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy