SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય ખંડ + ૧૭૧ : કારક્તાનુ માપ તે ધર્મના અનુયાયીઓનાં વન ઉપરથી સામાન્યતઃ કાઢવામાં આવે છે, ખાસ કરીને ધર્મીના હાથી અનભિજ્ઞ જનસમૂહ તેા હમેશાં એમ જ કરે છે. ઉપર જણાવ્યું તેમ, પરોપકારને માટે પેાતાના પ્રાપ્ત ધનના ખચ કરવા કે પેાતાનુ દ્રવ્ય આપવું તે દાન છે; અને સ્વપરકલ્યાણ માટે પ્રાપ્ત અથવા અપ્રાપ્ત સુખ, સગવડ કે સ ંપત્તિ છાડવાં એ ત્યાગ છે. દાનનાં ચાર પ્રયાજન ગણાવી શકાય— ૧. દુરુપાન ( અન્યાયની કમાણી ) આદિના પાપનુ થોડુ પ્રાયશ્ચિત્ત થાય છે. ૨. ભાગ કરતાં બચેલી સ'પત્તિના સદુપયોગ થાય છે. ૩. જનસેવાનાં કાર્યાં શિક્ષણાલય, દવાખાનાં, ઋદ્ધિાર વગેરે સાધી શકાય છે. ૪. ખરી સાધુતાને અવલંબન અથવા મદદ આપી શકાય છે. જે ન્યાયયુક્ત વેપારધંધા કરી કમાય છે અને ઉદારતાથી દાનપરાયણ રહે છે તે ભાગ્યશાલી દાની છે; અને જે ત્યાગી થઇને સંયમપૂત જીવન જીવવા સાથે પેાતાની ભૂમિકા મુજબ પરાષકારપરાયણ રહે છે તે મહાભાગ્યશાલી ત્યાગી છે. આ પ્રમાણે ષટ્કમ સંક્ષેપમાં જોયાં. ભક્ષ્યાભક્ષ્યને વિચાર જૈન આચારગ્રંથામાં ઘણું કરવામાં આન્યા છે. તેમને રાત્રિલેાજનનિષેધ પણ પ્રસિદ્ધ છે. રાત્રિભાજતનિષેધ : આ બાબતમાં વિચાર કરતાં જોઈ શકાય છે કે સયા પડતાંની સાથે અનેક જીવા, જથ્થામ′ધ સૂક્ષ્મ જીવા ઊડવા માંડે છે, રાત્રિએ દીવાની આગળ બેશુમાર જીવા ઊડતા ફરતા જોવામાં આવે છે. ખુલ્લા રાખેલા ઢીવાના પાત્રમાં પુષ્કળ જીવડાં Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy