SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૪૬ : જૈન દર્શન અર્થાત્ દેવ-પૂજા, ગુરુ-ઉપાસ્તિ, સ્વાધ્યાય, સયમ, તપ અને દાન એ ગૃહસ્થનાં ષટ્ (છ) ક છે. આ છએ કર્મા નિત્યકર્માં હાઇ દરરોજ આચરવાનાં છે એ ધ્યાનમાં રાખવુ' ઘટે. દેવપૂજા એટલે દેવનુ' પરમાત્માનું' ભક્તિપૂર્ણ સ્મરણ, સ્તવન, પાના. એ આંતરિક દોષોને કાઢવા, વિચારોને સુધારવા, ભાવના કેળવવા અને આત્મશક્તિને જાગતિ તથા (વકસિત કરવાના શ્રેષ્ઠ માર્ગ છે. દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ એ ભેદો પૂજાના અતાવવામાં આવે છે. ભગવત્-સ્મરણ અર્થાત્ ભગવાન્ સાથે તાદાત્મ્ય સાધવાના આંતરિક પ્રયત્ન એ ભાવ-પૂજા છે. આ વાસ્તવિક પૂજાના મા ,, સરળ થાય એવી ઊર્મિ જગાડવાના કાર્યમાં ભક્તિના માહ્ય ઉપચાર કામ આવી શકતા હાઈ એ ( ઉપચાર ) દ્રવ્યપૂજા ગણાય છે. ૮ દ્રવ્યપૂજા ” શબ્દમાં હું શબ્દ નિમિત્તભૂત અથવા સહાયભૂત એ અર્થમાં છે. ભાવપૂજા માટે સહાયભૂત થનારી બાહ્ય પ્રક્રિયા તે દ્રવ્યપૂજા છે. ભક્તજન, જે સીધે પૂજા( ભાવ-પૂજા )એ પહેાંચી શકતા નથી, તે આ રીતને વિવેકયુક્ત આશ્રય લઇને ભાવપૂજાનો લાભ મેળવવા સમ થાય છે. ભાવપૂજાનુ ખળ ભાવનામાં પલટો આણે છે, સગુણા અને સત્કાર્યાની ભાવના પ્રેરીને ચિત્તને સદવૃત્તિશાલી બનાવે છે. ભાવપૂજાનું એજસૂ જેમ જેમ ખિલે છે, તેમ તેમ ચિત્તની કલ્યાણકામના વિકસ્વર થતી જાય છે. આ રીતે એ પરમ શ્રેયસાધક અને છે. શ્રી હરિભદ્રાચાય પેાતાના "" અષ્ટક ગ્રંથના ત્રીજા અષ્ટકમાં કહે છે. (6 Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy