SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન (“અનન્તાનુબન્ધી”) કષાયોને ઉદય થાય તે સમ્યફવથી પડવાનો વખત આવે છે. આ ગુણસ્થાન એવી પડતી અવસ્થા રૂપ છે- સમ્યગ્દર્શનથી અજ્ઞાનમેહમાં કે મિથ્યાત્વમાં પડવારૂપ છે. પડવા માંડે એને પડતાં કેટલી વાર? એટલે આ ગુણસ્થાન ક્ષણમાત્રનું છે. “ઉપશમ સમ્યકત્વથી પડનારને માટે જ આ ગુણસ્થાન છે. ૩. મિત્રગુણસ્થાન: આત્માના એવા વિચિત્ર અધ્યવસાયનું નામ છે કે જે સમ્યકત્વ અને મિથ્યાત્વ બન્નેના મિશ્રણરૂપ છે, માટે આ ગુણસ્થાનનું નામ મિશ્રગુણસ્થાન છે. જ્યારે કોઈ જીવને સત્યનું દર્શન થાય છે ત્યારે તે આશ્ચર્ય ચક્તિ જે બની જાય છે. એના જૂના સંસ્કાર એને પાછળ તરફ ખેંચે છે અને સત્યનું દર્શન આગળ ખેંચે છે. આ ગુણસ્થાનની આ ‘ડેલાયમાન” અવસ્થા થડા વખત માટે હોય છે. પછી તે એ કાં તે મિથ્યાત્વમાં પડે છે, કાં તે સત્યને પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનમાં “અનન્તાનુબન્ધી” કષાય ન હોવાથી આ ગુણસ્થાન ઉપરનાં બને ગુણસ્થાનેથી ચઢિયાતું છે. પરંતુ આમાં પૂર્ણ વિવેકપ્રાપ્તિ હોતી નથી, સમ્યકત્વ અને મિથ્યાત્વનું મિશ્રણ હોય છે, અર્થાત્ સન્માગ વિષે શ્રદ્ધા પણ નહિ અને અશ્રદ્ધા પણ નહિ એવી “હાલકડોલક” જેવી પાડનારથી એટલે કે સમ્યફવને ગાળી નાખનાર એવા તીવ્ર કોધાદિ કષાયથી યુક્ત તે [સાણા ર ] સારાવા. મતલબ કે “સાણાન” ગુણસ્થાનભૂમિ તીવ્ર ક્રોધાદિ કષાયદયરૂપ હાઈ પાડવાવાળી છે-સમ્યગ્દષ્ટિને રફે દફે કરી જનારી છે. સાવાન’ એવું પણ નામ આ ગુણસ્થાનનું છે. એને અર્થ આસ્વાદનયુક્ત, અર્થાત વમન કરાતા સમ્યક્ત્વના આસ્વાદથી યુક્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008021
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1981
Total Pages565
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy