________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
પ્રતિક્રમણ-આવશ્યક |
જીવ ખમાવું છું સવિ, ક્ષમા કરજો સદાય, વેરવિરોધ ટળી જજો, અક્ષયપદ સુખ સોય;
સમભાવી આતમ થશે. ભારે કર્મી જીવડા, પીએ વેરનું ઝેર, ભવાટવીમાં તે ભમે, પામે નહિ શિવ–લહેર;
ધર્મનો મર્મ વિચારજો. પાઠ ૧૦ મો [પરમપદ પ્રાપ્તિની ભાવના કાયોત્સર્ગરૂપે કહેવામાં આવે છે]
(નમસ્કાર મંત્ર બોલવો) અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ જો? અપૂર્વ૦ ૧. સર્વ ભાવથી ઔદાસી વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં. ૮ દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જો. અપૂર્વ૦ ૨. દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ૦ ૩. આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યત જો; ઘોર પરિષહ કે ઉપસર્ગભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ) ૪.
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250