SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ઉષ્મા ન મેળવી શક્યા, ઠંડી દૂર કરી ન શક્યા. ખેતી કરવા છતાં અનાજ મેળવી ન શક્યા. ઘણી ગતિ કરવા છતાં પ્રગતિ કરી ન શક્યા. ઉગ્ર સાધના કરવા છતાં પણ સિદ્ધિને મેળવી ન શક્યા. આ કેવી આપણા ભૂતકાળની દયાજનક સ્થિતિ છે ! હવે આ સંયમજીવનમાં આનું પુનરાવર્તન નહિ પણ પરિવર્તન કરવાનું છે. માત્ર ક્રાંતિ નહિ પણ ઉત્ક્રાંતિ કરવાની છે કે જે માત્ર પ્રવૃત્તિનું નહિ પણ વૃત્તિનું ય ઊર્વીકરણ કરે. આના માટે જ આપણે સંયમજીવન મેળવેલ છે. અમોઘ બાણવિદ્યાવાળા ચેડા રાજાને પ્રતિજ્ઞા હતી કે એક દિવસમાં એક વારથી વધુ બાણ ન ચલાવવું. એમ આપણે અહીં એવી વિશુદ્ધ ઉપશમવિદ્યા મેળવીએ કે હવેથી નવા ભવમાં, બાકીના સમગ્ર ભવચક્રમાં એક વારથી વધુ સંયમ જીવન ન મેળવવું પડે. બીજી વાર સંયમજીવન મેળવવાની જરૂર જ ન રહે. ચેડા રાજાને બીજી વાર બાણ ફેંકવાની જરૂર જ રહેતી ન હતી. બસ પછી લૌકિક વલણ છૂટે અને લોકોત્તર વલણ મેળવાય-કેળવાય, આત્મસાત્ થાય. પછી મજા જ મજા છે. આ ત્રણેય દુર્લભ ચીજ (પૂર્વે જણાવેલ બે ચીજ (૧) સરળતા (૨) નમ્રતા અને અહીં જણાવેલ (૩) વિશુદ્ધ ઉપશમભાવ) મેળવીએ તો જ ચોથી દુર્લભ ચીજ મળી શકે. એ ચોથી ચીજનો પરિચય આવતા પત્રમાં કરશું. ત્યાં સુધી આ ૩ દુર્લભ રત્નોને મેળવો-કેળવો અને જાળવો. લખી રાખો ડાયરીમાં... મનની ચંચળતા રવાના કરવાના ચાર અમોઘ ઉપાય. (૧) સૌમ્યતા (૨) અનુત્સુકતા (૩) ધીરજ (૪) સહિષ્ણુતા. ૪૨
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy