SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ દીધો. પગારદાર માણસ બેદરકાર હોય તેમાં તો શી નવાઈ? બન્નેના પ્રમાદથી ગરમ પાણીને લીધે બિચારો ઉંદર મરી ગયો. નાનકડી બેદરકારી મોટી વિરાધનામાં નિમિત્ત બની જાય છે. માટે પહેલા જોવું અને પછી પ્રમાર્જવું. વિહારમાં મહાત્મા એક સ્થાને રાત્રે પહોંચ્યા. અંધારામાં વસતિ ન જોઈ. ઉપાશ્રયના પાછલા ભાગમાં લઘુશંકાનિવારણ કરવા રાત્રે પગથિયું સમજીને નીચે ઉતર્યા અને નીચે ખાડામાં પડ્યા. પગમાં ફ્રેક્સર થયું. “સાંજે વસતિ ન જોઈએ તો ચાલે. આમાં શું થઈ ગયું? બધા કરે છે. માટે આપણે પણ કરીએ તો ચાલે.” આવા દેખાદેખીના નાના દોષોથી મોટો દોષ ઉભો થાય. ચોથું અસમાધિસ્થાન છે 'अइरित्तसिज्झाए झंझसालाए અતિરિક્ત શય્યા = વધુ પડતા પાટ, પાટલા કે સંથારા-આસન વગેરે રાખવા-વાપરવા તે પણ અસમાધિનું કારણ છે. ધર્મશાળામાં બીજા બાવા-જોગી-સંન્યાસી હોય તે આપણી પાસે વસ્તુ માગે તો ના પાડી ન શકીએ. તેથી ઝઘડો થવાની શક્યતા છે. અને આપીએ તો તેના ઉપયોગથી થતી વિરાધના આપણને લાગે. અસંયતપોષણનો દોષ લાગે. ગૃહસ્થ માગે અને આપીએ તો “ગૃહસ્થવૈયાવચ્ચનો પણ દોષ લાગે. દિનો વેચાડિયું ન જ્ઞા' (દ.વૈ.ચૂલિકા ૨૯) આવા દશવૈકાલિકવચનનો ભંગ થાય. તે જ રીતે અધિક પેન, પેડ, વસ્તુ વગેરે બીજી વસ્તુઓમાં પણ સમજી લેવું. अइरित्तं अधिकरणं આત્મા ઉપર ઉપકાર કરે તે ઉપકરણ. સંયમ ઉપર ઉપકાર કરે તે ઉપકરણ. જે પણ બિનજરૂરી વધુ-પડતું દોરી, ટોકસો વગેરે સાધન હોય १. अइरित्ते सेज्जाआसणिएत्ति अइरित्ताए सेज्जाए घंघसालाए अण्णेवि आवासेंति अहिगरणाइणा अप्पाणं परे य असमाहीए जोइए आसणं-पीढफलगाइ तंपि अइरित्तमસાદી નો | - કાવયનિવૃત્તિ રિમજીવવૃત્તિ પૃ.૬૬રૂ | ૧૪૧૨ ૪૧૨
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy