SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમીના વ્યવહારમાં • લેખકની હૃદયોર્મિ . સંયમજીવનની ઉપલબ્ધિના મહત્ત્વના પાંચ પરિબળો છે. (૧) પૂર્વભવની વિશિષ્ટ આરાધના, (૨) માતા-પિતા આદિના સંસ્કાર, (૩) દેવ-ગુરુની અનરાધાર કૃપા (૪) કલ્યાણમિત્ર વગેરેનો સુયોગ તથા (૫) આ ભવનો આધ્યાત્મિક પુરુષાર્થ. સંયમજીવનને મેળવવામાં આ પાંચેય પરિબળો તરતમભાવે પોતાનો ફાળો નોંધાવે છે. રજોહરણની પ્રાપ્તિ બાદ સ્વાધ્યાય, સેવા, સમિતિ-ગુપ્તિ-પાલન, સદ્ગુરુસમર્પણ આદિ સંયમ સાધનામાં અનેક વર્ષો પસાર થયા બાદ પણ સતત જોઈએ તેવી પ્રસન્નતાનો/મસ્તીનો/સમાધિનો અનુભવ કેમ થતો નહિ હોય ? આ પ્રશ્ન લાંબા સમયથી મનમાં ઉઠતો હતો. તેનું સમાધાન મેળવવા કરેલા મનન-મંથન-મથામણના અંતે ‘પગામ સજ્ઝાય' નામના આવશ્યકસૂત્રમાં આવતા ‘વીસાળુ અસાહિતાનેěિ' પદ ઉ૫૨ નજર સ્થિર થઈ. તે પદની હારિભદ્રી આવશ્યકનિર્યુક્તિવૃત્તિ ઉપર ચિંતન-મનન થતાં પ્રશ્નનો પ્રત્યુત્તર પારદર્શક થતો ગયો. તે અંગે ઉદ્ભવેલા મનન અને મંથનના મોતીઓ, વાચનાના માધ્યમથી, શિષ્યવર્ગને પ્રદાન કરવાનો સુભગ અવસર મળ્યો. કલિકુંડ તીર્થ-ધોળકામાં થયેલી આ વાચનામાં ‘સંયમીઓનો પરસ્પર વ્યવહાર, ગુરુદેવ સાથે વ્યવહાર, શ્રાવકાદિ જોડે વ્યવહાર કેવો હોય ? ૩૯૧
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy