SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) શાસનપ્રભાવના, સંઘરક્ષા, તીર્થરક્ષા વગેરે કાર્યોના માધ્યમથી જાતપ્રભાવનાની અને આડંબરની આસક્તિ ઋદ્ધિગારવ. (૧૦) યશ-કીર્ત્તિ મળે તેવા કાર્યમાં ઉત્સાહ હોવા છતાં કેવળ આત્મસાક્ષીએ કરવાની આરાધનામાં અનુત્સાહ = શાતાગારવ. આ દશની જેને અતૃપ્ત ભૂખ કદાપિ ન હોય તેવા ભાવસંયમીને અનંતશ વંદનાવલી. લખી રાખો ડાયરીમાં... ♦ પ્રસિદ્ધિ, પ્રશંસા, પતન, પાપ, પરલોક, પરમાત્માઆ છ તત્ત્વનો જેને સતત ડર હોય તે સંયમી. = અપાત્રને પાટ, પદવી, પરિવાર પણ પતનનું કારણ બને. આચારની કઠોરતા સંયમની પરિણતિ ઊભી કરવામાં સહાયક છે. ♦ (૧) શરીર અને આત્મા અલગ છે., (૨) શરીરની આસક્તિ આત્મવૈરિણી છે. (૩) શારીરિક દુ:ખ આત્મશુદ્ધિ માટે આવે છે. આ ત્રણ વિચાર જીવંત હોય તે પ્રતિકૂળતાને મજેથી વેઠે. ૩૮૨
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy