SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ मिच्छद्दिट्ठी य जे नरा अहमा । बद्धनिकाइयकम्मा सुणंति धम्म ન ચ રતિ ને ” (૨૧૬) શ્રીમંતને દેખીને શ્રીમંત થવાની ઈચ્છા થાય તો ખાનદાન ગરીબ કમાવાનો પુરુષાર્થ કરે પણ ઈર્ષ્યા કરવાની ભૂલ ન કરે. તો પછી એક સંયમી બીજા સંયમીના વિકાસને જોઈને સાધનાનો પુરુષાર્થ કરવાના બદલે ઈર્ષા-નિંદા કરવાની ભૂલ કઈ રીતે કરી શકે ? એ જ સમજાતું નથી. ખાનદાન ગરીબ માણસ શ્રીમંતને જોઈ રાજી થાય, તેની સેવા કરે, તેની પ્રેરણા ઝીલે તો પછી ખાનદાન સંયમી બીજાના સંયમીના વિકાસને જોઈને ઈર્ષ્યાથી જલે એ કઈ રીતે શક્ય છે ? પુણ્યવાન અને ગુણવાન એવા શ્રીપાલ મહારાજની ઈર્ષ્યા કરનાર કૃપણ અને કૃતજ્ઞ ધવલશેઠનું કરુણ મોત કઈ રીતે થયું? તે નવપદની ઓળીના વ્યાખ્યાનમાં શ્રાવકને સમજાવનાર સંયમી કદી સંયમીની ઈર્ષા કરે એ શક્ય જ નથી. ઈષ્ય તો શું સ્પર્ધામાં પણ સંયમી ન ઉતરે. કેમ કે સ્પર્ધામાં આગળ નીકળીએ તો અભિમાન અને ઉદ્ધતાઈની આગમાં હોમાઈએ તથા પાછળ રહીએ તો દીનતા, હતાશા, લઘુતાગ્રંથિ, ઈર્ષા, અદેખાઈ, નિંદાકુથલી વગેરે ડાકણો વળગે. તપ, સ્વાધ્યાય વગેરે આરાધનામાં બીજાની પ્રેરણા જરૂર ઝીલવી, પ્રગતિ પણ જરૂર કરવી. પરંતુ તપ, સ્વાધ્યાય વગેરેની પણ સ્પર્ધા તો ન જ કરવી. તો પછી પ્રવચનશક્તિ, શિષ્યસંપદા, ભક્તવર્ગ વગેરેની સ્પર્ધા તો થાય જ કઈ રીતે ? સંયમી તો સદા આત્મરમણતામાં તૃપ્ત હોય, ગુણની ખીલવટમાં લયલીન હોય. પછી તેને સ્વપ્રશંસા-આદર-કદરની ભૂખ કઈ રીતે લાગે? સ્વપ્રશંસા-પ્રસિદ્ધિ-આદર-કદરની ભૂખ ન હોય તેને ઈષ્યની નાગણ ડંખે નહિ, સ્પર્ધા સતાવે નહિ, નિંદાના ગચરકા આવે નહિ. તથા સ્વપ્રશંસા વગેરેની જેને ભુખ હોય તેનું સંયમ આત્મકલ્યાણકારી બને નહિ. ગુણસમૃદ્ધ સંયમસાધના મોક્ષ અપાવે. પરંતુ પ્રશંસાભૂખઈર્ષ્યા વગેરે દોષો સાથે હોય તો ઉગ્ર સંયમસાધના હોવા છતાં ૩૮ ૦
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy