SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ પણ ઓફિસરો વગેરે દ્વારા થતી કુચેષ્ટાથી શીલભ્રષ્ટ બની ચૂકી છે. ધોબણ, રસોયણ, ઘાટણ, ભંગણ, નોકરાણી, કામવાળી તરીકેના બધા જ કામ પત્ની બનનારી સ્ત્રીને પ્રાયઃ ભજવવાના અને પાપના પોટલા જ માત્ર ભેગા કરવાના. બધું સહન કરીને પણ દુર્ગતિનું જ રીઝર્વેશન કરાવવાનું, કોઈની વાસનાપૂર્તિનું સાધન બનીને જીવન ચૂંથી નાંખવાનું, મહામૂલો માનવ ભવ ગુમાવી દેવાનો ! આ બધી રિબામણો, વિડંબનાઓ કરતાં સાધ્વીજીવન એ બહેનો માટે અતિઉત્તમ છે. અહીં સહજ રીતે શીલસુરક્ષા, તીર્થયાત્રા થાય. તપ-ત્યાગ વગેરમાં કોઈ અંતરાય ના કરે. ઉભયતંક પ્રતિક્રમણપડિલેહણ વગેરે આરાધના નિત્ય થઈ શકે. કાચા-પાણીના પાપનો જીવનભર ત્યાગ થાય. અભક્ષ્ય-કંદમૂળ-રાત્રિભોજન વગેરે મહાવિરાધનાઓ છૂટી જાય. વિભૂષા દ્વારા બીજાને પાપમાં નિમિત્ત બનવાનું છૂટી ગયું. સંયમીની સેવા દ્વારા અપ્રતિપાતી વૈયાવચ્ચ ગુણને આત્મસાત કરવાની અમૂલ્ય તક-કેળવણી મળે. આ બધા અપરંપાર લાભો નજર સામે દેખાતા હોય તો ગુરુના કે ગુરુબહેનોના ઠપકા કે મેણા-ટોણા સ્વરૂપ નાની તકલીફ દેખાય જ નહિ. સંસારમાં પતિ, સાસુ, સસરા, જેઠાણી, નણંદ, પુત્ર-પુત્રી વગેરેની આખો દિવસ સેવા કરીને ય પાપ બાંધવાના. એના બદલે અહીં થોડી ઘણી ગુરુગુરુબહેનોની પ્રેમથી ભક્તિ કરવાની અને પુણ્યની પરબ બાંધવાની. આ બધી હકીક્ત નજર સામે હોય તો નિંદા, ક્ષુદ્રતા, તુરછતા, ઈર્ષ્યાથી પારકી પંચાત, સંકૂલેશ, ઝઘડા, પસ્તાવો, આર્તધ્યાન કરીને અમૂલ્ય સાધ્વીજીવનને નિષ્ફળ કરવાની ભૂલ થઈ ન જ શકે -લખી રાખો ડાયરીમાં...) જિનવચન સાંભળીને ચમકે તે ચિત્ત, ડોલે તે દિલ, માને તે મન, આસું પાડે તે અંતઃકરણ, હચમચી ઉઠે તે હૃદય ૩૭૦)
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy