SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ બંધાય છે. તથા ક્લિષ્ટ વિચારની ઉગ્રતા વધતાં માનસિક રીતે પાપનો વિષય વધી જ જાય છે, ભલે ને વ્યવહારથી બાહ્ય દૃષ્ટિએ પાપનો વિષય નાનો રહે. કર્મબંધ તો કાયિક કે વાચિક યોગ મુજબ નહિ પણ હૃદયના ભાવ મુજબ જ થાય છે એમ ઉપાધ્યાયજી મહારાજે ભાષારહસ્યગ્રંથમાં અત્યંત સ્પષ્ટ પણે જણાવેલ જ છે. તંદુલિયા માછલાનું ઉદાહરણ આપણે જાણીએ જ છીએ ને ! ‘આપણી કલુષિત વૃત્તિ-પ્રવૃત્તિનો વિષય નાનો-અલ્પ છે એટલે વાંધો નહિ' આવી ગેરસમજ વહેલી તકે કાઢી નાંખવા જેવી છે. એક સંયમીની આશાતનામાં અઢી દ્વીપના તમામ સંયમીની આશાતનાનું પાપ લાગે છે. એક ગુરુની નિંદા-હીલનામાં ત્રણેય કાળના તમામ ગુરુદેવોની નિંદા-હીલનાનું ચીકણું પાપ બંધાય છે. વ્યવહારમાં સાધુ-સાધ્વી તરીકે આપણી છાપ ઊભી રહી શકે તે રીતે જેટલી હદ સુધી શિથિલતા પોષી શકાય તેટલી પોષીએ અને મનના પાપને સહવર્તી કોઈ જાણવાના ન હોવાથી માનસિક રીતે દોષરુચિને તીવ્ર બનાવતા જઈએ તો સંસારી જીવ પાપ બાંધે તેના કરતાં પણ વધુ ચીકણા પાપકર્મનો બંધ સંયમજીવનમાં થયે જ રાખે- એમાં કોઈ શંકા નથી. ઉદાહરણથી આ વાત સમજવી હોય તો કહી શકાય કે (૧) ગૃહસ્થો બ્યુટી પાર્લરમાં જાય અને આપણે વિભૂષા કરીએ. (૨) સંસારી જીવ ટી.વી., વિડીયો જુએ અને આપણે વિજાતીયને કે તેના ચિત્રને છાપ-પૂર્તિ વગેરેમાં રુચિપૂર્વક જોઈએ. (૩) અવિરતિધરો અબ્રહ્મસેવન કરે અને આપણે સજાતીય સ્પર્શ વગેરે કુચેષ્ટા કરીએ. (૪) ગૃહસ્થો પેપ્સી, કોકોકોલા વગેરે પીવે અને આપણે તેવી જ લાલસાથી ઉનાળામાં વરીયાળી-સાકરનું પાણી, ગુલાબ શરબત, લીંબુ શરબત વાપરતી વખતે હાશકારો અનુભવીએ. (૫) ગૃહસ્થ ફ્રીઝનું, બરફનું પાણી પીવે અને આપણે ઠારેલું ઠંડા ૩૫૯
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy