SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ છતાં, વિજાતીય વ્યક્તિની ભયંકરતાનું ચિંતન-મનન-કરવા છતાં આ રાંક જીવ નિમિત્ત મળતાં જ વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષાય છે ત્યારે ઉપરની તમામ શાસ્ત્રોક્ત ગરીબડા જીવને બચાવવા માટે અસમર્થ બની જાય છે. અને વાસનાની વિકૃત ખણજ પોષવા દ્વારા જીવ ફરી જન્મ-મરણના ચકરાવામાં ફસાઈ જાય છે. અહીં સવાલ એ થાય છે કે (૧) શાસ્ત્રની મોટી ઘોષણાઓ પણ શું જીવને વાસનાના વિષમ વમળમાંથી ઉગારવા શક્તિમાન નથી ? (૨) શાસ્ત્રોક્ત બ્રહ્મચર્યની નવ વાડનું વર્ષો સુધી પાલન કરવા છતાં વિચિત્ર નિમિત્ત મળતાં એકાએક વાસનાની જ્વાળા મનમાં કઈ રીતે પેદા થઈ શકે ? (૩) શું વેદમોહનીયના ઉદયને શાસ્ત્રનું ચિંતન-મનન-પાલન કાયમ દફનાવી ના શકે ? (૪) વાસનાના ભૂખ્યા વરનો શિકાર બનતા જીવને રક્ષણ આપવા તપત્યાગ-વિહાર-અસ્નાન-લોચ-મલધારણ-અદંતધાવન-વિભૂષાવર્જન વગેરે સંયમચર્યાપાલન સ્વરૂપ સિહ શું અસમર્થ છે ? (૫) રોજ સ્થૂલભદ્ર સ્વામીજીનો જાપ કરવા છતાં શું હઠીલી વાસનાની પજવણી શાંત ન થાય ? (૬) હાર્દિક ગુરુભક્તિ, પ્રભુભક્તિ કે ગ્લાનસેવા પણ શું એકાંતમાં-અંધકારમાં મનમાં પેદા થતી કામવાસનાને અટકાવી ન શકે? (૭) સ્ત્રી શરીરમાં અશુચિ ભાવના કરવા છતાં તેનું આકર્ષણ છૂટે કેમ નહીં ? ભલભલા મોટા સાધકોતપસ્વીઓ પણ ગોથા ખાઈ જાય તેવો બહુ જ જટિલ-વિષમગહન-ગંભીર એવો આ પ્રશ્ન છે. આ સમસ્યા વ્યક્તિગત હોવા છતાં સમષ્ટિને લાગુ પડે જ છે. કાયમી અત્યંત નાજુક સવાલ હોવા છતાં તેનો જવાબ અનાદિકાળથી આપણે કયાંયથી પ્રાયઃ પ્રાપ્ત કરેલ નથી. જેઓએ આ પ્રશ્નનો સચોટ ઉત્તર મેળવેલ છે તેઓ સહજ રીતે વાસનામુક્ત બની શક્યા છે. કુનિમિત્તો વચ્ચે પણ પવિત્ર રહી શક્યા છે. ૨૯૩
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy