SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ • દર્દી જે દવા લે તે બધી દવા ડોક્ટરે લેવાની ન હોય, તેમ શિષ્યએ જે કરવાનું હોય તે બધું ગુરુ કરે જ એવું નથી. પરમગુરુ સામે કિનારે છે. આપણે આ કિનારે છીએ. પુલના સ્થાનમાં ગુરુદેવ છે. તેમના આલંબનથી ભગવાન સુધી પહોંચી શકાય તેમ છે. સંસાર છોડ્યો = દુઃખગર્ભિત વૈરાગ્ય. - સંપ્રતિ રાજાનો પૂર્વભવ. સંસારમાંથી છૂટકારો મેળવ્યો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. = જંબૂસ્વામી. નોકરે કરેલી મહેનત શેઠને પૈસાદાર બનાવે તેમ મોહનીયના ગુલામ બનેલા જીવની પુણ્યની કમાણી મોહનીયને બળવાન બનાવે. પરસાક્ષીએ જે ધર્મની પ્રતિજ્ઞા કરી તેના પાલનમાં અધર્મનો પરિણામ ઊભો થતો અટકાવવો તે આત્મસાક્ષીએ જ શક્ય છે. જે ત્યાગને લંબાવાનું મન ન થાય તે ત્યાગ પ્રાયઃ બનાવટી, આભાસી હોય. ભવદેવ મુનિ જેનાથી આપણો મોક્ષ થવાનો નથી એવા જગતના પદાર્થોને મહત્ત્વ આપી આપણે આપણો મોક્ષ અટકાવીએ છીએ. કૃતજ્ઞતાનો અભાવ એ આત્માની એક જાતની કઠોરતા છે. ગોશાળો - આળસ એટલે સાધનાને આજના બદલે આવતીકાલ-ભવિષ્યકાળ પર રાખવી. વૈરાગ્ય ત્યાગને દીર્ઘજીવી બનાવે, ત્યાગમાં આનંદ ઉભો કરાવે છે. ૨૩૮
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy