SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ અવિવેકીની હોય. ઉત્સાહ હોય તો દુષ્કર આરાધના પણ કરવી અને ઉત્સાહ ન હોય તો સુકર - સરળ આરાધના પણ ન કરવી - આ પણ વિવેકહીનતાની નિશાની છે. સ્વ-પરની આરાધનામાં ક્યારે સ્વની આરાધનાને મુખ્ય કરવી અને ક્યારે બીજાની આરાધનાને મુખ્ય બનાવવી ? તેની સ્વસ્થ સમજણ વિવેકી પાસે જ હોય. શક્તિશાળી બાલમુનિને તૈયાર કરવા માટે પોતાની આરાધનાને અમુક સમયગાળા દરમિયાન ગૌણ કરવાની તૈયારી વિવેકી સાધક પાસે સહજતઃ હોય. સંયોગને જોઈ ક્યારે કઈ આરાધના વિશેષ લાભકારી છે ? તેનો વિચાર કરી તે આરાધના માટે જરૂરી ઉત્સાહ - ઉલ્લાસ – ઉમંગ પ્રગટ કરી સ્વયં પ્રવૃત્ત થવું અને યોગ્ય જીવને તેમાં પ્રવર્તાવવા - આ વિમલ વિવેકદષ્ટિની નિશાની છે. (૧) તપ અને વૈયાવચ્ચ બન્ને યોગને વિહારમાં આરાધવાની શક્તિ ન હોય તો ત્યારે વિશિષ્ટ વૈયાવચ્ચ ગુણને મુખ્ય કરી તપને ગૌણ કરવો. (૨) અધ્યયન-અધ્યાપન યોગનો વિશિષ્ટ લાભ મળે ત્યારે શક્તિ ન હોય તો તપને ગૌણ કરવો; (૩) વિશિષ્ટ તીર્થોમાં સ્વાધ્યાયને ગૌણ કરી પ્રભુભક્તિને મુખ્ય બનાવવી. (૪) વિશિષ્ટ પર્વોમાં તપને મુખ્ય કરવો, તપ શક્ય ન હોય ત્યારે ત્યાગને મુખ્ય કરવો. (૫) પર્યુષણાદિમાં પોતાના તપને ગૌણ કરી શ્રીસંઘને આરાધના કરાવવાના યોગને કે પ્રવચનપ્રભાવકની સેવાના યોગને મુખ્ય કરવો... આ બધા પ્રબુદ્ધ વિવેકદષ્ટિના ચિહ્નો છે. આપણામાં આવી વિમલ વિવેક દષ્ટિ જાગે, ટકે, વધે તે માટે જ શાસ્ત્રકાર ભગવંતોએ પચ્ચખ્ખાણના દશ ભેદમાં (૧) અતીત તપ, (૨) અનાગત તપ વગેરે ભેદને દર્શાવેલ છે, (૩) ૧૫૪
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy