SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ અઈમુત્તા મુનિને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. ભૂલને સુધારવાની ભૂમિકાએ દૃઢ રીતે પહોંચવાથી અષાઢાભૂતિ, માષતુષ મુનિ, મૃગાવતીજી વગેરેને કેવલજ્ઞાન મળ્યું. પુષ્પચુલા સાધ્વીજી; કુરગડુમુનિના સહવર્તી કેવલજ્ઞાન ચારેય તપસ્વી મુનિ ભગવંત વગેરેને કૈવલ્યલક્ષ્મી સંપ્રાપ્ત થઈ. યથાસંભવ રીતે ઉપરના ઉદાહરણોની યોજના કરવી. તાત્પર્ય એ છે કે ચારેય વિનયસમાધિને જીવનમાં કેળવીએ તો પરમગતિ-મુક્તિ આપણાથી દૂર નથી. ચારેય વિનયસમાધિને અવગણી ઉગ્ર સાધના તપ સંયમને કેળવીએ તો ત્યાગ પણ મોક્ષમાર્ગે આગળ વધી ન શકાય. માટે જીવનમાં ઊંચી ઉગ્ર આરાધનાના લક્ષના બદલે નિર્મળ ચતુર્વિધ વિનયસમાધિને કેળવવાનું લક્ષ રાખશો તો ક્યાંય પણ સંકલેશના વમળમાં, ભવભ્રમણમાં ફસાવાના બદલે સડસડાટ ઝડપથી મોક્ષમાર્ગે આગળ વધી શકાશે. આ રીતે મોક્ષમાર્ગે આગળ વધો એ જ મંગલકામના... - - - લખી રાખો ડાયરીમાં... પરતત્ત્વની ગાઢ આસક્તિ એકાંતે મારક છે. ઘર, શરીર, સગા વહાલા, શક્તિ, સિદ્ધિ, પ્રસિદ્ધિ, પ્લેટફોર્મ, પુણ્ય, શિષ્ય... આ બધા પરતત્ત્વ છે. - નજર સામે ઉત્તમ આલંબન ન મળે તો માનસિક રીતે તેવા પૂર્વકાલીન સંયમીના ઉત્તમ આલંબન ઊભા કરી જીવનમાં સારા આચારને ઉતારતા રહેવું. ૧૩૭
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy