SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮ ) ન ઓળગાય તેવી જ હોય છે. તે ન્યાયમાં ભાવથી મુનિને વાંદનાર સેવક છે, અને બીજો હારી ગયો. “જ્યાં ધર્મ છે ત્યાં જ જય હોય છે. ” શાંબ અને પાલકની કથા. હવે ઇષ્ટ વસ્તુને આપવામાં સમર્થ એવું પાંચમું દ્રષ્ટાંત કહે છે–એકદા ગ્રહ નક્ષત્રોથી ભરાયેલા આકાશની જેમ સેવકેથી ભરાયેલી શ્રીકૃષ્ણ વાસુદેવની સભાના દ્વાર પાસે જાણે સૂર્યના રથમાંથી ઉતરી આવ્યા હોય તેવા, ઉચ્ચશ્રવા ના મના ઈંદ્રના અશ્વની જેવા અને ગંગા નદીને ઉછળતા તરંગો જેવા એક અધિને લઈને કેઈ પરદેશી પુરૂષ ઉભો રહ્યો. તેને કર્મની જેમ પ્રથમ દ્વારપાળે સભામાં જતો અટકાવ્યો. પછી તે દ્વારપાળે રાજાને જણાવી તેની આજ્ઞા લઈ તે પુરૂષને સભામાં પ્રવેશ કરાવ્યો. તે પુરૂષે રાજાને નમસ્કાર કરી અધરત્નની ભેટ કરી. કારણકે “ ખાણમાંથી નીકળેલાં રત્નના ભેગવનાર પુણ્યશાળી જ હોય છે, અને વનમાં ઉત્પન્ન થયેલાં પુપો દેવના મસ્તક ઉપર જ ચડે છે.” રાજાએ શુભ લક્ષણને ધારણ કરનાર તે અશ્વ તેની પાસેથી લીધો. અને તેને ઘણું ધન અપાવ્યું. તે વખતે શાંબ અને પાલક નામના કૃષ્ણના પુત્રએ તે અપની યાચના કરી. ત્યારે કૃષ્ણ કહ્યું કે –“ કાલે પ્રાત:કાળે જિનેશ્વરને જે પ વંદના કરશે તેને આ અશ્વ હું આપીશ. ” તે સાંમ ને પ્રાતઃકાળે પિતાને ઘેર રહેલા શાબે ઉઠીને સાત આઠ પગલાં જિનેશ્વરતી દિશા તરફ જઇને શુભ ભાવથી જિનેને વંદના કરી. પાવક તો અધતા લોમથી પરેઢી બે ઉઠીને માર્ગમાં જતાં સુતેલા લેકોને જગાડતે અરિહંતની પાસે ગયે, અને તેમને નમસ્કાર કરી તેમને પિતાના સાક્ષી રાખ્યા. પછી શ્રી કૃષ્ણ પરિવાર સહિત નેમિનાથ પાસે જઈ તેમને વંદના કરી પૂછયું કે-“હે જગદગુરૂ ! આજે આપને પ્રથમ કોણે વંદના કરી ? ” ભગવાને જવાબ આપે છે-“પ્રથમ શબે ભાવથી મને વંદના કરી છે,
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy