SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ તેમની વાણી સાંભળી તે સુલક આચાર્ય જાગૃત થઈ વિચાર કરવા લાગ્યા કે હું ખીજડાના વૃક્ષ જેવો છું. મારામાં ઉત્તમ ચારિત્ર કયાં છે? આઘા વિગેરે ચિતિકના ગુણથી જ લોકે મને પૂજે છે” એમ વિચારી તેણે પાછા ઉપાશ્રયે આવી મુનિઓને પિતાનું વૃત્તાંત નિવેદન કર્યું, અને તેની આલોચના કરી. આ ફુલકાચાર્યને પ્રથમ વ્યચિતિ હતી અને પાછળથી ભાવસ્થિતિ પ્રાપ્ત થઈ. એટલે કે પ્રથમ તેણે ઉપગરણે દ્રવ્યથી રાખ્યાં હતાં, અને પછી ભાવથી રાખ્યાં. શ્રીકૃષ્ણ વાસુદેવ અને વીરા સાળવીની કથા. ઈંદ્રની આજ્ઞાથી ધનદે (કુબેરે) લવણ સમુદ્રને આઘો કરી તે ઠેકાણે ક્ષણવારમાં દ્વારકા નગરી વસાવી-બનાવી દીધી. તે નવ જન પહોળી, બાર યોજન લાંબી, ૨૧ હાથ ઉંચા અને જમીનમાં બમણું પહેલા કિલાવાળી તેમજ સર્વ રત્નમય બનાવી.તે નગરીમાં માણિજ્યમય મનહર જિનચૈત્યેની શ્રેણિ બનાવી, સર્વતોભદ્ર વિગેરે જાતિના સુવર્ણમય આવાસો બનાવ્યા અને અંદર સાઠ તથા બહાર બેતર કુળકાટિ યાદને વસાવ્યા. તેને સાડા ત્રણ દિવસ સુધી ધનદે ચેતરફથી લાવી લાવીને સુવર્ણ, મણિ, ધાન્ય અને વસ્ત્રના સમૂહેવડે પૂર્ણ કરી. તેને જોતાં બુદ્ધિમાન લોકોના મનમાં પણ વિસ્મય થતો હતો. તે નગરીમાં સમુદ્રવિજય વિગેરે દશ દશાહ રાજાઓ વડે યુક્ત, બળદેવ વિગેરે પાંચ મહાવીરે વડે સેવાનો, ઉગ્રસેન વિગેરે સોળ હજાર સામંત રાજાઓથી પરિવરેલ, પ્રદ્યુમ્ન વિગેરે સાડાત્રણ કરોડ પુત્રો વડે યુકત, સાંબ વિગેરે સોળ સે ને ત્રણ દુદ્દત કુમારે સહિત, વીરસેન વિગેરે એકવીશ સે ને ત્રણ વીરોએ પરિવરલે, મહાસેન વિગેરે છપ્પન સે ને ત્રણ યોધ્ધાઓ વડે આશ્રય કરાયેલ, રૂકમિણુ વિગેરે બગીશ હજાર રાણુઓ સહિત, ત્રણ ખંડ ભરતક્ષેત્રના ૧ બોધ પામી. ૨ શુભ કર્મને એકઠા કરવાના કારણ રૂપ એવો વિગેરે ઉપગરણ ચિતિ કહેવાય છે.
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy