SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) અને સુવર્ણ તથા મણિએનાં સમગ્ર ભૂષણ વડે સંઘને પહેરામણી કરતો હતો. તેના રાજ્યમાં વીશ હજાર ર, વીશ હજાર હસ્તીઓ, વિશ હજાર અ અને વીશ કરેડ બળવાન પદાતિઓ હતા, તે બવીશ હજાર નગર અને પચાસ કરોડ ગામનો સ્વામી હો, તથા એક હજાર મુકુટબંધ રાજાએ તેના સેવકે હતા. આ રીતે તેનું રાજ્ય વૃદ્ધિ પામ્યું હતું, તે રાજા ઇની પણ સ્પર્ધા કરતો હતો, એવી રીતે તે રાજાએ એક લાખ વર્ષ સુધી રાજ્ય પાળ્યું. એકદા તે મેઘનાદ રાજા પિતાના નગરની બહાર ઉદ્યાનમાં પધા રેલા પાર્થ દેવ નામના જ્ઞાની ગુરૂને વાંદવા ગયે. ત્યાં તેણે કર્ણને અમૃત સમાન આ પ્રમાણે ધર્મદેશના સાંભળી કે-“હે ભવ્ય પ્રાણીઓ ! રત્નાકરની જેવા આ મનુષ્ય જન્મને પામીને તમે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નને ઉપાર્જન કરવામાં લેશ પણ આળસ ન રાખે.” આ પ્રમાણે દેશના સાંભળ્યા પછી રાજાએ નિમળ જ્ઞાનના સમુદ્રરૂપ ગુરૂને પ્રણામ કરી પૂછ્યું કે –“ પ્રભુ! મેં પૂર્વ ભવમાં શું પુણ્ય કર્યું હતું કે જેના પ્રભાવથી હું આ રાજ થ? અને વળી સર્વ મનોરથને પૂર્ણ કરનાર કહ૫વૃક્ષની જેવું દુર્લભ કચોળું મને શાથી પ્રાપ્ત થયું?” ત્યારે ગુરુ મહારાજ બેદયા કે “હે રાજા તારા પૂર્વભવને સાંભળ. સૂર્યપુર નામના નગરમાં એક વણિક રહેતા હતા. તે મૂખ હેવાથી ભારને વહન કરવાને ધંધો કરતો હતો. તે પણ હેવાથી હંમેશાં એક જ વાર ખીચડીનું ભોજન કરતા હતા. અને એક જ જાડું વસ્ત્ર પાંચ વર્ષ સુધી ચલાવતા હતા. તે ધનને જ સંચય કરતું હતું, અને ધર્મનું નામ પણ જાણતો નહે, બીજા સમગ્ર કર્તાને તે ભૂલી ગયો હતો, પર્વ તિથિને દિવસ તેને સાંભરત પણ નહેતે, ખર્ચ થઈ જવાના ભયને લીધે તે સગા સંબંધીઓને ઘેર જતો નહે છે, અને જિનેશ્વરના ચિત્યની સન્મુખ પણ જેતે નહે. એ રીતે કેવળ મજુરી કરીને તેણે એક લાખ દ્રવ્ય ઉપાર્જન કર્યું. તેને એક પુત્ર
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy