SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ આપણું અકૃત્રિમ મિત્રાઈ છે.” ત્યાર પછી શ્રેષ્ઠ બુદ્ધિવાળા ચકીએ શ્રાવકને બેલાવીને કહ્યું કે તમારે આજથી ખેતી વિગેરેનું કાર્ય બીલકુલ કરવું નહીં. હું તમારી આજીવિકા પૂર્ણ કરીશ. તમારે હમેશાં મારે ઘેર ભોજન કરવું, સાધુજનની સેવા કરવી અને મને હમેશાં આ વચન સંભળાવવું કે- “ હે ચકી! તું છતાય છે, ભય વૃદ્ધિ પામે છે માટે “મા દુર, મા ” ન હો, ન હણે.” આ પ્રમાણે કહીને ચકી તેમને હમેશાં ભેજનાદિકવડે સત્કાર કરવા લાગ્યા, અને તેમના વચનથી પ્રતિબંધ પામી પોતે નિરંતર સદાચારમાં તત્પર રહેવા લાગ્યા. કે અન્ય ચક્રિીએ તે શ્રાવકને કાકિણી રત્નથી જ્ઞાન, દર્શન અને ચરિત્ર પી . ત્રણ રત્નના ચિન્હવાળા કર્યા અને તેમના સ્વાધ્યાયને મા બે રમ્યા. તે વિષે ચૂણિમાં કહ્યું છે કે “ ભરતે દાન આણ્યું તે એણે દાન દેવામાં પ્રવર્તી ભરતે શ્રાવકેસ્વિાધ્યોએ ધામ કરવા માટે આર્ય વેદ કર્યો. તે વેદમાં તીર્થકરની સ્તુતિ સધિરતિ “ દેશવિરતિ અને શાંતિકર્મ વિગેરેનું વર્ણન આપેલું છે ત્યાર પછી સુલસા અને યાજ્ઞવયે વિગેરેએ અનાય વેદો રચ્યા છે. ભરતરાજા પરીક્ષા કરીને ઉત્તમ શ્રાવકને હંમેશાં ભેજન કરાવતા હતા, તેથી શ્રાદ્ધદેવ શ્રાવકને સત્પાત્ર તરિકે થયા, અને સાધુઓ તે પ્રથમથી જ સત્પાત્રપણે પ્રસિદ્ધ હતા. આ પ્રમાણે પંડિતએ શ્રાદ્ધદેવોને બીજી પંક્તિના પાત્ર તરીકે જાણવા. શ્રાદ્ધદે હમેશાં દ્રવ્ય સ્તવના અધિકારી છે એમ નિગમ અને આગમમાં કહ્યું છે. તેઓ પણ શ્રાવકેને ફળ આપનારા થાય છે. જિનપૂજા વિગેરેના મહોત્સવ પ્રસંગે મુનિઓને પ્રાસુક ભાત પાછું આપવું અને શ્રાદ્ધદેવને સુવર્ણ વિગેરનું દાન આપવું. તે શ્રાદ્ધદેવના જે પુત્ર થયા તે પણ સદાચારી ઉત્તમ શ્રાવકે થવાથી તેમને પણ ચક્રીએ કાકિણી રત્નથી અંકિત કર્યો. તે શ્રાદ્ધદેવો પછી સુવર્ણની જનોઈવાળા થયા. પછી અનુક્રમે રૂપાની, પટ્ટસૂત્રની અને છેવટ સૂર્યપશાના વંશમાં એકલા સૂત્રની ય પવીતને ધારણ કરનારા થયા.
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy