SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) તે સાંભળીને તે છે પણ તેઓની સાથે ચાલ્યું. તેણે કાંઈ પણ ધન મેળવ્યું ન હતું. તેથી ત્રણ મિત્રોએ માર્ગમાં તેને ભાતું. વિગેરે ખાવા આપ્યું, અને પુણ્યશાળી તથા નિપુણ એવા તેઓ પોતાને નગરે પહોંચ્યા. પછી તેમના સ્વજનેએ તેમની સન્મુખ આવીને તેમને મિટા ઉત્સવ પૂર્વક પુર પ્રવેશ કરાવ્યું. પછી દાન અને માનમાં તત્પર થઈને તેઓ લોકમાં મેટે મહિમા પામ્યા. તથા જે એથે મૂખ હતો તે ઘેર જઈને લોઢું લેવાથી અત્યંત દુઃખી થયે. તેજ પ્રમાણે જે સત્ય વાત સમજ્યા છતાં મિથ્યાત્વને છેડતા નથી તેઓ મિથ્યાદર્શનથી દુઃખી થાય છે, અને જેઓ મિથ્યાત્વ તકને સમકિત અંગીકાર કરે છે તેઓ સભ્ય દર્શન વડે કરીને સુખ સંપત્તિને પામે છે. જેમ કે તે ત્રણે મિત્રો રત્ન અને ધન ઉપાર્જન કરવાથી સુખ સંપત્તિના સ્થાનભૂત થયા. કહ્યું છે કે જે કોઈ વિચાર રહિત પ્રાણી લોઢાની જેવા મિથ્યાત્વના આગ્રહને ત્યાગ કરતા નથી, તે અનેક દુઃખ પામે છે. આ પ્રમાણે જાણીને હૃદયમાં સારી રીતે વિચાર કરી અતુલ્ય સુખની ઈછાએ કરીને હે સજજને ! શ્રેષ્ઠ રત્ન સમાન સમકિતને ધારણ કરે. સંસારસાગરના મધ્યમાં ડૂબવાના કારણરૂપ લેઢાની જેમ પ્રાણીઓને દુખ આપનાર મિથ્યાત્વને ધારણ ન કરે. આ પ્રમાણે અમાવાસ્યાના અંધકાર તુલ્ય અને દષ્ટાંત રૂપી અરિસામાં જેનું નિંઘ રૂપ દેખાડયું છે એવા આ મિથ્યાદર્શનને ત્યાગ કરી સમકિતને ધારણ કરેા. આ પ્રમાણે પહેલી ગાથાની શાખામાં મિથ્યાત્વને ત્યાગ કરવા ઉપર ચાર મિની કથાના વર્ણન નામનો બીજો પલ્લવ સમાપ્ત થયો ૨ 1 થ al: વદ ૩ - જિતારિ રાજાને પુત્ર, શત્રુઓના સમૂહને જીતનાર, ઉપમા હિત, માન (ગર્વ) ને નાશ કરનાર શિવાલેષ વડે શંભુરૂપ શ્રી સંભવનાથ સ્વામી તમને વિભૂતિને માટે થાઓ. ૧ શંભુ મહાદેવ શિવ-પાર્વતીને આશ્લેષ કરનાર છે, અને ' સંભવનાથ સ્વામી શિવ-મોક્ષનો આક્ષેપ કરનાર છે
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy