SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ લાગ્યા, લતાઓને ઇદવા લાગ્યા, સ્વાદિષ્ટ ફળેને ખાવા લાગ્યા, ચોતરફથી સમગ્ર શાખાઓનું મર્દન કરવા લાગ્યા, અને છેવટે શ્રમિત થઈને વૃક્ષોની ગાઢ છાયામાં વિશ્રાંતિ લેવા તેઓ બેઠા. તેટલામાં પરશુને ધારણ કરનાર તે તાપસ માથે કાંટાને ભારે લઈને આવ્યું, તેને રસ્તામાં જ કેઈએ વાટિકા ભાંગ્યાના ખબર આપ્યા. તે સાંભળી માથાપરથી ભારે નાંખી દઈ પ્રચંડ કેપાનળથી તાપ પામતે તે તાપસ કુહાડી લઈને એકદમ રાજપુર ત્રને મારવા દે, પરંતુ ઉંચી દ્રષ્ટિ રાખીને દેડતાં તે તાપસ એક ખાડામાં પડી ગયે અને પડતાં જ તેને હાથમાં રહેલી કુહાડીથી તેનું હૃદય ચીરાઈ જવાને લીધે તે તરતજ મચ્છ પા. અર્થાત્ તેનાથી જાણે ભય પામ્યા હોય તેમ તેના પ્રાણેએ તેને ત્યાગ કર્યો. આ રીતે તે તાપસ મરીને તે જ વનમાં અત્યંત ક્રૂરતાને ધારણ કરતે ચડકેશિક નામે દ્રષ્ટિવિષ સ થ. કહ્યું છે કે-જે મૂઢ પ્રાણ આ દુર્લભ મનુષ્ય ભવ પામીને યત્નપૂર્વક ધર્મને કરતે નથી, તે પ્રાણ મહા કષ્ટથી પ્રાપ્ત થયેલા ચિંતામણિ રત્નને પ્રમાદવડે સમુદ્રમાં નાંખી દે છે. વળી આળસ મેહ, અવજ્ઞા, માન, કેલ, પ્રમાદ, કૃપણુતા, ભય, શેક, અજ્ઞાન, વ્યાક્ષિતા, કુતુહલ વિગેરેને વશ થયેલા સૈદ પૂર્વી, આહારક શરીરની લબ્ધિવાળા, મનપર્યવજ્ઞાનવાળી અને વીતરાગ દશાને પામેલા એવા મુનિ પણ તરતજ ચાર ગતિમાં ભ્રમણ કરનારા થાય છે. ” તે સર્પ જે દિશામાં જાય છે તે દિશા વિનાશ પામે છે. એટલે કે તેમાં રહેલા મૃગ, અ, ગાા, બકરા, હસ્તીઓ, સિહો, ભેંશ, પાડાઓ, મનુષ્ય, ઉંદરે અને ગધેડા વિગેરે જે કઈ છે તે સર્પની દષ્ટિએ પડે છે તે સર્વે ભસ્મસાત્ થઈ જાય છે. તેનું વિષ વાણીથી વર્ણવી શકાય તેવું નહોતું. તેના
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy