SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭ર) ગળામાં, ઘડામાં અને બીજા કોઈ પણ પાત્રમાં પાણી રાખતી તે ગળીને જ રાખતી હતી, અને ત્યાર પછી જ તે પાણું કામમાં વપરાતું હતું. મીઠા પાણીને અને ખારા પાણીને સંખારે તે કદાપિ ભેળે કરતી નહીં, હંમેશાં જાડા ગણાવડે દિવસમાં બે વાર પાણી ગળતી હતી, અને ઉષ્ણ કાળમાં ત્રણ ચાર વાર ગળતી હતી. કારણકે તનાવડે જ ધર્મ માને છે. કહ્યું છે કે“ કુવાના ખોદનારની જેમ મનુષ્ય પાપકર્મવડે નીચે જાય છે, અને પ્રાસાદના ચણનારની જેમ પુણ્યકર્મવડે ઉચે જાય છે. ” એકદા લીલાવતીએ શુભ કર્મવડે પિતાના આત્માને સારે સ્થાન સ્થાપન કરતી હોય તેમ પાણીનો સંઆ તળાવમાં જઈને નાંખે, અને ત્યાંથી પાછી વળતાં તેણુએ કઈ પાણી ભરતી સ્ત્રીનું સ્વચ્છ ગરણું લઈ ગળીને પિતાને ઘડે પાણીથી ભર્યો. ત્યાર પછી તે ઘર તરફ આવતી હતી, તેટલામાં અશ્વ ઉપર બેઠેલે જપુત્ર તેની સામે મળે, તેથી આમ તેમ ફરતાં તેને પણ ખલના પાપે, અને માથા પરથી પાણીના ઘડે પડીને ફુટી ગયે, પિતાની માતા પૃથ્વીને આલિંગન કરવા માટે જાણે ઘણાં રૂપને ધારણ કરતા હોય તેમ તેના સેંકડો કકડા થઈ ગયા. તેથી તે શેક કરવા લાગી કે-“પ્રાયે બરાબર ગળ્યા વિનાનું પાણુ ળાઈ ગયું, તેથી મને ઘણું પાપ લાગ્યું.” એમ શોક કરતી તે પાપની શુદ્ધિ માટે ત્યાં માર્ગમાં જ બેઠી. તેટલામાં તે જ માર્ગે એક જ્ઞાની મુનિ નીકળ્યા, તેને નમસ્કાર કરીને તેણીએ કહ્યું કે-“હે ભગવન્! મારી શુદ્ધિને માટે મને તપ સિવાયનું બીજું કાંઈ પ્રાયશ્ચિત્ત આપો.” મુનિ બેલ્યા કે“હે ભદ્ર!જાવડે વસાની જેમ તપવડે જ આત્માની શુદ્ધિ થાય છે.” ત્યારે તે બેલી કેહે સ્વામી! મારામાં તપ કરવાની શક્તિ
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy