SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૭ ) सज्झाय પ્રથમ ભણી ગયેલા શાસ્ત્રને જે ગણવું તે સ્વાધ્યાય કહેવાય છે. તે નિર ંતર સાધુ અને શ્રાવકોએ કરવા લાયક છે. પાંડિતાએ મનરૂપી વાનરને નિયંત્રિત કરનાર સ્વાધ્યાય હમેશાં કરવા યોગ્ય છે. સવજ્ઞે કહેલા શાસ્ત્રનું ધ્યાન કરનારને ધર્મબુદ્ધિ ઉત્પન્ન થાય છે. કહ્યુ` છે કે—“સ્વાધ્યાય કરવાથી પરમાર્થ રૂપ શુભ ધ્યાન ઉત્પન્ન થાય છે, સ્વાધ્યાયમાં વર્તતા પ્રાણીને ક્ષણે ક્ષણે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, તથા સ્વાધ્યાય કરનારને ઊલાક, અધેાલાક, તિર્યંગ્લાક, નરક, જ્યાતિષી, વૈમાનિક અને સર્વ લેાક તથા અલેાક પ્રત્યક્ષ થાય છે.” સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે.—વાચના ૧,પૃચ્છના ૨, પરાવર્તના ૩, અનુપ્રેક્ષા ૪ અને ધર્મકથા ૫. તેમાં ગુરૂની પાસે વિનયથી જે ભણુવુ' તે વાચના કહેવાય છે. ૧ ભણેલાં શાસ્ત્રમાં રહેલા સંશયના નિર્ણય કરવા તે પૃચ્છના કહેવાય છે. ૨. પ્રથમ ભણેલા શાસ્ત્રના વારવાર ઉચ્ચાર કરવા તે પરવૃત્તિ ( પરાવતના ) કહેવાય છે. ૩. શાસ્ત્ર સંબંધી જે વિચાર કરવા તે અનુપ્રેક્ષા કહેવાય છે. ૪. અને શાસ્ત્રની જે વ્યાખ્યા કરવી તે ધર્મકથા કહેવાય છે. પ. ક્રિયા કરવામાં તત્પર રહેતા સાધુ તથા શ્રાવકે હમેશાં ચાર વાર સ્વાધ્યાય કરવા જોઇએ. બુદ્ધિમાન પુરૂષોએ હમેશાં સ્વાધ્યાય કરવામાં યત્ન કરવા. કારણ કે સ્વાધ્યાયનું ફ્ળ કિટ દ્રના દાનથી પણ અધિક છે. શ્રીનીશીથ સૂત્રના ત્રીજા અધ્યયનમાં સ્વાધ્યાયનું ફળ આ પ્રમાણે કહ્યું છે.—“હે ભગવન ! અતિ તીવ્ર જ્ઞાનાવરણીય કર્મના ઉદયને લીધે હમેશાં ગેાખતા છતાં એક વર્ષે અર્ધો શ્લેાક માત્ર પણ ચિર પ્રતિષ્ઠિત ( પાકા ) થતા નથી, તેવા સાધુ જાવ સુધી સ્વાધ્યાય કરના જેને જીવ
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy