SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૩) શુદ્ધ વસે પહેરી, ચાળણુને કાચા સુતરના તાંતણા વડે બાંધીને ચાલી. પછી તે ચાળણી વડે કૂવામાંથી પાછું ખેંચી પુરીના મુખ્ય દરવાજાને ત્રણ અંજલી છાંટી એટલે તે દરવાજે ઉઘડી ગયે.એ રીતે તેણે ત્રણ દરવાજા ઉઘાડ્યા અને પિતાના કર્મરૂપી કમાડ તેણે તેડ્યાં. બીજી કઈ સતી હોય તે તેની પરીક્ષાને માટે તેણે ચેાથે દરવાજે ઉઘાડ્યો નહીં. તે ચંપા નગરીને ચોથો દરવાજે હજુ સુધી કેઈએ ઉઘાડ્યો નથી, બંધન છે.આ પ્રમાણે સુભદ્રાએ લોકમાં જિનશાસનની પ્રભાવના કરી. અહા! શીળનું માહાત્મ્ય સમગ્ર જગતમાં ઉત્તમ છે. તે સુભદ્રાએ રાજાને, બીજા લોકોને, પિતાના સાસરીયાને અને નગરીના જનોને બેધ પમાડી જૈનધર્મ કર્યા. “શુભ કર્મમાં ઉદ્યમવાળી, સર્વ સતીઓમાં શિરોમણિ અને ગુણસમૂહની લતા રૂપ સુભદ્રાનું કલ્યાણ થાઓ.” કહ્યું છે કે- “ જેણે ચાળ• ણના જળવડે ચંપાના દરવાજા ઉઘાડયા, તે સુભદ્રાનું ચરિત્ર કેના ચિત્તનું હરણ ન કરે ? ” જેણે જિનશાસનની પ્રભાવના કરી તેજ ચંદ્રિકા જેવી ઉજવળ અને હસ્તીના જેવી ગતિવાળી સુભદ્રા સર્વ સતીઓમાં પ્રશંસા કરવા લાયક છે. આ પ્રમાણે અસુર, સુર અને મનુષ્યના સમૂહને પ્રથમ ઉત્પન્ન થયેલા આશ્ચર્યના સમૂહને નિષ્ફળ કરવામાં કુશળ એવું આ સુભદ્રાનું ચરિત્ર સાંભળીને તે બુદ્ધિમાન જ ! તમે સમગ્ર ગુણરૂપી મણિઓને ઉત્પન્ન કરવામાં રેહણાચળ પર્વત સમાન શીળને હંમેશાં નિર્મળ ચિત્તમાં ધારણ કરે. આ પ્રમાણે શ્રી તપગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન મહોપાધ્યાય શ્રી ધર્મહંસ ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રી ઈંદ્રહંસ ગણિએ રચેલી શ્રી ઉપદેશકલ્પવઠ્ઠી નામની ટીકાને વિષે બીજી શાખામાં શીળ નામના સર્વોત્તમ ગુણના વિષય ઉપર સુભદ્રાના વર્ણન નામને બારમે પલ્લવ સમાપ્ત થશે. કરવાના ઉપાય. કરીનાનું હરણ
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy