SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૧ ) ચંપાપુરીએ ગયે. “જેમ ચિંતામણિ ચિંતવ્યા કરતાં પણ વધારે ઈષ્ટ વસ્તુને આપનાર હોય છે, તેમ વેપાર પણ વણિકને મેટે લાભ આપનાર થાય છે.” અષ્ટમીના ચંદ્ર જેવા લલાટવાળી તે સુભદ્રા જૈનધર્મને પાળતી હતી, તેથી બૌદ્ધધર્મને માનનારી તેની નણંદ વિગેરે તેની નિરંતર નિંદા કરવા લાગ્યા અને છેવટે ધર્મની વિરૂદ્ધતાને લીધે તેને જુદા ઘરમાં રાખી. કારણ કે “ઉંદર અને બિલાડીની જેમ ચિત્તની ભિન્નતામાં સુખ ક્યાંથી હોય? ” સુભદ્રાને ઘેર સાધુઓ તથા સાધ્વીઓ વહેરવા આવતા હતા, તેમને જોઈ ધર્મની ભિન્નતાને લીધે તેના સાસરીઆ તેના પર દ્વેષ કરવા લાગ્યા. એકદા બુદ્ધદાસની માતાએ પુત્રને કહ્યું કે “આ તારી સ્ત્રી સાધુ ઉપર રાગવાળી થઈ છે. તે સાંભળી ધર્મના દ્વેષને વિચાર કરી તેણે તે વાત સત્ય માની નહીં. એકદા કેઈ જિનકલ્પી મુનિ તેને ઘેર વહેરવા આવ્યા. તેના નેત્રમાં તૃણ પડયું હતું, તેને તે મુનિએ નિસ્પૃહતાને લીધે કાઢી નાંખ્યું હતું, તેથી બેરડીના કાંટાવડે કેળને થાય તેમ મુનિના નેત્રમાં અત્યંત પીડા થતી હતી. તે જોઈ મુનિને દાન દેતાં સુભદ્રાએ જિન્હાવડેતે તૃણ કાઢી લીધું. તે વખતે તેના કપાળમાં કરેલું તિલક મુનિના કપાળમાં લાગી ગયું, તેની સુભદ્રાને ખબર પડી નહીં, અને મુનિ એમને એમ તેના ઘરમાંથી બહાર નીકળ્યા. તેના કપાળમાં તિલક જોઈ તકાળ બુદ્ધદાસની બહેન વિગેરેએ સુભદ્રાના પતિને સાક્ષાત દેખાડ્યું. તે જોઈ બ્રાંતિ પામી તેણે મનમાં વિચાર્યું કે-“મારી સ્વી તત્ત્વજ્ઞાની હોવાથી સ્વપ્નમાં પણ તેની અગ્ય વર્તણુક સંભવતી નથી, પરંતુ વિષયે અતિ વિષમ છે, તેથી તે શું શું અકાર્ય ન કરાવે?” આમ વિચારવાથી સુભદ્રાને વિષે જે દીધે સ્નેહતંતુ હવે તે તુટી ગયે. કારણકે સનેહરૂપી વૃક્ષ ગુણરૂપી જળથી સિંચન કરાયું હોય તે જ વૃદ્ધિ પામે છે. કહ્યું છે કેપિતાને મિત્ર, પિતાને ભાઈ, પિતાને પિતા, પિતાને પિતા
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy