SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૫ ) જ્યાં સુધી ધનની યાચના ન કરી હેાય ત્યાંસુધી જ માન વિગેરે મળે છે. અને મને આપા, આપે, એમ કહેવાથી કાઈ કાંઈ આપી દેતું નથી. કે હું રામ ! સંબંધી છે, નથી. ” " જિનદત્ત શ્રેષ્ઠી નિર્ધન થવાથી ભાગ્યહીન થયેલા હતા, તેથી તેના સાસરાએ લક્ષ્મીવાન છતાં પણ કાંઇ ધન આપ્યું નહીં. અહા ! ધનના વિલાસ કેવા છે ? કહ્યું છે ધન ઉપાર્જન કર. આ આખું જગત ધનનું જ નિર્ધનમાં અને મરેલામાં હું કાંઈ પણ અંતર જોતા પછી તે શ્રેષ્ઠી નિરાશ થઇ પાછા પેાતાના ઘર તરફ્ વળ્યેા. માર્ગમાં પ્રથમ આવી હતી તે જ નદી પાસે આવી પહોંચ્યા. તે વખતે તેણે વિચાર કર્યો કે-“ મારી પ્રિયાએ મને મેટા મનારથથી સાસરાને ઘેર મેાકલ્યા હતા, તે મને આવી રીતે ધન રહિત પા। આવેલા જોઇને એકાએક અત્યંત દુ:ખી થશે. ” એમ ધારી તેણે નદીમાંથી ઉજ્જ્વળ એવા ગાળ પથ્થરના કાંકરા વીણી પાટલી બાંધી. પછી તે પેાતાને ઘેર આવ્યા અને તે પાટલી દ્રવ્યની હાય તેમ પેાતાની સ્ત્રીને આપી, તે પણ જોઇને હષૅ પામી. તેણીએ તે પાટલી ઘરમાં મૂકી. પેલા કાંકરા મુનિદાનના પ્રભાવથી રત્ના થઇ ગયા. ટ્ઠાનધર્મથી ખીજા ન ચિંતવી શકે એવુ ફળ પ્રાપ્ત થાય છે.’ કહ્યું છે કે અત્યંત ઉગ્ર પુણ્ય અને પાપનુ ફળ આ ભવમાં જ ત્રણ વર્ષે, ત્રણ માસે, ત્રણ પખવાડીએ અથવા ત્રણ દિવસે જ પ્રાપ્ત થાય છે. ” અહીં તે પેલી પોટલી છેાડી તેમાંથી એક રત્ન લઈ ખારમાં વેચી તેની પ્રિયાએ ચાખા, મગ વિગેરે સામગ્રી મંગાવી તેના વડે ઉત્તમ રસાઇ કરી પતિને જમાડયો. જમીને પતિ સૂઈ ગયા. પછી ઉઠીને તેણે પ્રિયાને કહ્યું કે હું પ્રિયા ! આજે તે આવું ઉત્તમ લેાજન મને કયાંથી કરાવ્યું ?” તે એટલી કેહું પ્રિય ! મારા પિતાને ઘેરથી આણેલા દ્રવ્યમાંથી એક રત્ન લઇને તેના વડે મેં તમારા સત્કા 66
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy