SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૮ ) ' - પૂછ્યું કે—“ હું શ્રેષ્ઠી ! આમ કેમ થયું ? ” શ્રેષ્ઠીએ કહ્યું કે“ હે પ્રજાનાથ ! હું કાંઇ પણ જાણતા નથી, પરંતુ પર્વને દિવસે મને અવશ્ય લાભ મળે છે, એટલુ જ હું જાણું છું. ’'પર્વના આરાધનનું આવુ માહાત્મ્ય જાણીને રાજાએ તે સંબધી વિચાર (ઉડ્ડાપાહ) કરવા માંડયા, તેથી તેજ વખતે રાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયુ ,તેથી તેણે જાવજીવ પર્યંત છએ પર્વતિથિ પાળવાના નિયમ લીધા, અને શ્રેણીને બંધનથી મુક્ત કરી બહુ રીતે હર્ષથી ખમાવ્યા.તે શ્રેષ્ઠી પણ વિશેષે કરીને પર્વનું આરાધન કરવામાં તત્પર થયા. તેવામાં કેશના અધિપતિએ આવી રાજાને વધામણી આપી કે હું સ્વામી ! જેમ વસંત ઋતુમાં વાડીએ પુષ્પા વર્લ્ડ ભરાઇ જાય તેમ આપણા કશા ધનવડે પરિપૂર્ણ થઇ. ગયા છે. ” તે સાંભળી રાજા આશ્ચર્ય સાથે આનંદ પામ્યા. તે વખતે કાંતિ વડે દેદીપ્યમાન કુંડળને ધારણ કરતા એક દેવ પ્રગટ થઈને બેલ્યા કે-“હું રાજા! હું તારા પૂર્વ ભવના મિત્ર દેવ છું. તને બેધ કરવા માટે જ પ્રથમ મેં તે શ્રેષ્ઠીને સહાય કરી હડી.તેથી તું વાંછિતની પ્રાપ્તિ માટે ધર્મને વિષે ઉદ્યમ કર.” આ પ્રમાણે કહીને તે દેવ બીજા મિત્રને એધ કરવા માટે ગયા. તે બન્ને મિત્રાને સ્વપ્નમાં તેમના પૂર્વ ભવ તેણે મતાન્યેા. તેથી તેમને ઘાંચી અને કણબીના પૂર્વ ભવનું જાતિ સ્મરણ થયું. પછી તે શ્રેષ્ઠીદેવની વાણીથી તે ત્રણે રાજાએ ધર્મનું આરાધન કરવા લાગ્યા, અને પર્વને વિષે વિશેષે કરીને ધર્મકાર્ય કરવા લાગ્યા. તેમણે પાતપાતાના દેશમાં અમારીપડહા વગડાળ્યા, સાતે વ્યસનાને દૂર કર્યાં, તીર્થયાત્રા, રથયાત્રા વિગેરે પુણ્યકૃત્યને હ`થી કરવા લાગ્યા, તથા તે ત્રણે રાજાએ પડહની ઉદ્ઘાષણા પૂર્વક જૈનાચાર્ય વિગેરે સર્વ લેાકેા સહિત પર્વના દિવ્સની વિશેષે આરાધના કરવા લાગ્યા. તે ત્રણે રાજાનું રાજ્ય તેા જાદુ જાદુ હતુ, પરંતુ ધર્મરાજાનુ સામ્રાજ્ય તા સત્ર એક છત્રવાળુ થયુ, તે આશ્ચર્ય છે. i
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy