SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) પહેરને), એકલા દિવસને અને એકલી રાત્રિને (ચાર ચાર પહારનો) એમ ત્રણ પ્રકારે થાય છે. તે પૌષધમાં વિચક્ષણ માણસોએ ચાર કાર્યો કરવાનાં છે. ઉપવાસ વિગેરે તપ કરે ૧, પાપચાપાર (આરંભ) નો ત્યાગ કરે ર, બ્રહ્મચર્ય પાળવું ૩ અને શરીરના સંસ્કારનો પણ ત્યાગ કરે ૪. પૌષધ ગ્રહણ કરનાર બુદ્ધિમાને પર્વતિથિને વિષે વસ્ત્ર ધોવાં વાવવાં નહીં અને મસ્તકના કેશ એળવા ચોળવા નહીં અથવા લેર કરાવવું નહીં. તેમજ હળ વિગેરેનું ખેડવું, ઘાણી વિગેરે યંત્રોનું ચલાવવું, ઘર લીંપવું, પુષ્પ, પત્ર અને ફળ વિગેરેનું તેડવું તથા કાપવું વિગેરે કાંઈ પણ આરંભનું કાર્ય કરવું નહીં. જે પુરૂષ એક દિવસને પણ પિષધવડે પવિત્ર કરે છે, તે દેવગતિને વિષે સતાવીશ કોડ, સીતેર કરેડ, સીતેર લાખ સીતેર હજાર સાતસે ને સીતેર પલ્યોપમ ઉપરાંત (૨૭૭૭૭૭૭૭૭૭૭૬) પલ્યોપમનું આયુષ્ય બાંધે છે. પિષધ લેનાર શ્રાવકે પ્રથમ પહેરેલા અલંકારે ઉતારી ઈર્યવાહી પડિક્કમી મુખવકિાની પડિલેહણ કરી પિષધ વ્રત ગ્રહણ કરવું. શ્રાવકોએ પષધ લેવાને સર્વ વિધિ સાંભળી ધારી લઈને તે પ્રમાણે વિધિયુક્ત વિધ કરે. જે મનુષ્ય પર્વને દિવસે વિધિપૂર્વક પિષધ કરે છે, તે ધનસારની જેમ મોક્ષના ઉત્તમ સુખને પામે છે. ધનસારની કથા. ચિંત્ય ઉપર રહેલા સુવર્ણકળશરૂપી સૂર્યવડ દેદીપ્યમાન કઈ નગરને વિષે સર્વ વેપારીઓના મુગટરૂપ નામ અને ગુણે કરીને પણ ધનેશ્વર નામે પ્રસિદ્ધ શ્રેષ્ટિ રહેતું હતું. તેને ધની નામની પ્રિયા હતી. તે મધુર વચને બેલનારી, દાતાર અને રૂપની ભાવડે લક્ષમીદેવીને પણ જીતનારી હતી. તેમને ધનસાર નામે પુત્ર થયે. તે પિતાના ચરિત્રવડે માતપિતાનું
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy