SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ L[ આત્મતત્ત્વવિચાર ૨બ્દ પાંચ પ્રકારનો છેઃ (૧) વાચના એટલે શાસ્ત્રના મૂળ પાઠ તથા અર્થ ગ્રહણ કરવા. (૨) પૃચ્છના એટલે ન સમજાયેલી બાબતે પૂછવી. (૩) પરાવર્તન એટલે ગ્રહણ કરેલા પાઠ તથા અર્થોનું પુનરાવર્તન કરવું. (૪) અનુપ્રેક્ષા એટલે અર્થના ઉપગપૂર્વક પરાવર્તન કરવું અને (૫) ધર્મકથા એટલે ધર્મનો બોધ થાય તેવી વ્યાખ્યાન–વાણીની પ્રવૃત્તિ કરવી. સાધુ વ્યાખ્યાન આપે છે, તે એમને સ્વાધ્યાયરૂપ છે. જપને સ્વાધ્યાય કહેવામાં આવે છે. તે મનને નિગ્રહ કરનાર હોવાથી અત્યંતર તપમાં સમાવેશ પામે છે. . (૧૧) ધ્યાન : કોઈ પણ વિષય પર મનને એકાગ્ર કરવું, એ ધ્યાન કહેવાય. ધ્યાનના ચાર પ્રકારે પૈકી આનંધ્યાન અને રૌદ્રધ્યાન અશુભ હોવાથી ત્યાજ્ય છે, એટલે અહીં ધ્યાન શબ્દથી ધર્મધ્યાન અને શુકલધ્યાન સમજવું. આ બંને ધ્યાનોનો પરિચય ગુણસ્થાનના વિવેચનપ્રસંગે અમે આપી દીધેલ છે. (૧૨) ઉત્સર્ગ કે સુત્સર્ગ : ઉત્સર્ગ એટલે ત્યાગ, વ્યુત્સર્ગ એટલે વિશેષ ત્યાગ. બંને શબ્દ અહીં ત્યાગના અર્થમાં જ સમજવાના છે. વ્યુત્સર્ગ બે પ્રકાર છે: દ્રવ્ય વ્યુત્સર્ગ અને ભાવવ્યુત્સર્ગ. તેમાં દ્રવ્યબુત્સર્ગના ચાર પ્રકારે છેઃ (૧) ગણવ્યુત્સર્ગ એટલે લેકસમૂહનો ત્યાગ કરીને * એકાકી વિચરવું. (૨) શરીરવ્યુત્સર્ગ એટલે શરીર પરની મમતા છોડી દેવી. (૩) ઉપધિવ્યુત્સર્ગ એટલે વસ્ત્ર, પાત્ર . વગેરે ઉપધિ ઉપરની મમતા છોડી દેવી. (૪) ભક્ત પાન - કર્મની નિર્જરા ] ત્રુિત્સર્ગ એટલે આહાર પાણીને ત્યાગ કરવો. આને આપણે સંથારે કહીએ છીએ. ભાવવ્યુત્સર્ગના ત્રણ પ્રકારો છેઃ (૧) કષાયવ્યત્સર્ગ એટલે કષાયને સંપૂર્ણ ત્યાગ કરે. (૨) સંસારવ્યુત્સર્ગ એટલે સંસારનો ત્યાગ કરવો અને (૩) કર્મવ્યુત્સર્ગ એટલે આઠે પ્રકારનાં કમેને ત્યાગ કરવો. આ તપમાં શરીર વ્યુત્સર્ગ એટલે કાત્સર્ગની ગણના વિશેષ થાય છે. તેમાં કાયાને એક આસનથી, વચનને મૌનથી અને મનને ધ્યાનથી કાબૂમાં રાખવાનું હોય છે. કેટલીક સૂચનાઓ આ તપ એ કર્મનિર્જરાનું મુખ્ય સાધન છે, એટલે તેનું આરાધન કર્મનિર્જરા માટે જ કરવું. તપથી કેટલીક સિદ્ધિઓ મળે છે અને લાભ પણ થાય છે, પરંતુ એ કોઈ હેતુથી તપ કરવાનું નથી. તપ શક્તિ મુજબ કરવું અને ધીમે ધીમે આગળ વધવું. જે તપ કરતાં આત્માના પરિણામ પડી જતા હોય અને ભવિષ્યમાં તપની ભાવના ટળી જતી હોય તે એવું શક્તિ બહારનું તપ કરવું એગ્ય નથી. માટે ગીતાર્થ ગુરુની આજ્ઞા મુજબ તપ કરવું. ગુરુની આજ્ઞા વિરુદ્ધ તપ કરતાં વિરાધકતા આવે છે. . આત્માને જે પુરુષાર્થ જ્ઞાન-દર્શન–ચારિત્રની આરા-. ધના માટે કરવાનું છે, તે આ બાર પ્રકારનાં તપને વિષે પણ એવી જ રીતે કરવાનું છે, કારણ કે તેથી કર્મની નિજર - આ. ૨-૧૪
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy