SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ ચાર ગતિનાં કારણ તા તે ફળે એવા છે. સારી વાત તરફ સદ્ભાવ હોય અને ખરાખ વાત તરફ અણુગમો હોય, તે કલ્યાણમિત્રને સંપક રૂચે. કલ્યાણમિત્રના સપમાં રહેનાર, પ્રાયઃ દુર્ગતિમાં જાય નહિ, કારણ કે-એની માનસિક સ્થિતિ અને દુર્ગતિમાં ઘસડી જાય તેવી હોય નહિ અને કલ્યાણમિત્રના સ ́સના પ્રતાપે એના પરિણામમાં ઘણા સુધારા થયા જ કરે, એટલે એ દેવગતિનું આયુષ્ય બાંધે, એમાં નવાઈ પામવા જેવું નથી. ધ શ્રવણશીલતા : જેનામાં ધર્મ શ્રવણશીલતા રૂપ ગુણ હોય છે, તે પશુ દેવગતિના આયુષ્યને ઉપાર્જનારા અને છે. સ્વભાવ જ એવ કે-ધર્મનું શ્રવણ કરવાનું મન થયા કરે. જ્યાં ધર્મ શ્રવણુની તક હોય, ત્યાં દોડી જવાનું એવા સ્વભાવવાળાને મન થઇ જાય. આવુ કયારે બને ? ધર્મના અનુરાગ હૈયામાં પ્રગટયો હોય તે ! ધર્માંના અનુરાગ પ્રગટચા પછી ધમ શ્રવણના સ્વભાવ બની જાય તે ધર્મના અનુરાગ વધી જાય, નહિ તે એ અનુરાગને વિલય થતાં વાર લાગે નહિ. સધર્મ કોને કહેવાય અને અસધમ કાને કહેવાય, એના વિવેક ન પ્રગટચો હોય, તે છતાં પણ ધમ ને સાંભળવાના સ્વભાવ હાય, તા દેવગતિનું આયુષ્ય બંધાય. ધર્મ શ્રવણ કરવાની વૃત્તિવાળા આત્માઓમાં, પાપના રસ જોરદાર હાઇ શકતા નથી. બદઈરાદે ધ શ્રવણ કરનારની વાત જુદી છે. બાકી, ધર્મની અભિરૂચિથી ધર્મનુ ં શ્રવણ કરવાને સ્વભાવ, પાપ પ્રત્યે બ્રુગુપ્સા પ્રગટ્યા વિના આવે નહિ. એને ધર્મશ્રવણ કરતાં હૈયું હાલે અને એથી પાપ કરતાં પશુ એમ થાય કે—મારે આ નહિ કરવું જોઇએ! તમારામાં આ શુઝુ તે ઇં
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy