SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ ચાર ગતિનાં કારણે ને? બાકી, ધનને સાથે લઈ જવાને આ ઉપાય બહુ સારો છે. સાત ક્ષેત્રમાં સારા ભાવે પિતાના ધનને વાપરનારા, પિતાની પરભવની સ્થિતિને સદ્ધર બનાવે છે. સાત ક્ષેત્રમાં આજે તે બહુ અગત્યની જરૂર પણ છે. આજે ઘણાં શ્રી જિનમન્દિરા ઉદ્ધારની અપેક્ષા રાખે છે અને કેટલાંક સ્થલે એવાં છે, કે જ્યાં વસનારાઓને શ્રી જિનપૂજાનો લાભ મળી શકે તથા તેમના ધર્મના સંસ્કારે ભૂંસાતા અટકી જાય, તે માટે ત્યાં શ્રી જિનાલય બનાવવાની જરૂર પણ છે. જ્ઞાનભંડારોની અને જ્ઞાનભંડારોમાં રહેલા ગ્રન્થની વ્યવસ્થા જાળવવી હોય, તે તે માટે પણ નાણાંની જરૂર છે. સાધુ-સાધ્વી ક્ષેત્રને માટે બહુ જરૂર નથી, પણ શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રની સંભાળ માટે તે આ કાળમાં ઘણાં નાણાં આવશ્યક છે. આજની વિષમ સ્થિતિમાં ભાગ્યવાનોએ, શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રને જે કોઈ પણ યોગ્ય રીતિએ સંભાળી શકાય તેમ હોય, તે રીતિએ સંભાળી લેવાની જરૂર છે. સાધુ-સાધ્વીની બહુ ચિન્તા કરવી પડે તેમ નથી, એમ અમુક દૃષ્ટિએ કહી શકાય. કારણ કે-સાધુ-સાધ્વીને જે માત્ર સંયમની સાધનાનાં જ સાધનની જરૂર હોય અને તેઓ જે શાસ્ત્રની આજ્ઞા મુજબ વિહરતાં હોય, તે આવા ભયંકર કાળમાં પણ, સાધુ-સાધ્વીને પ્રાયઃ તકલીફ પડે તેમ નથી. જે વસ્તુઓ વિના સુખે સંયમને નિર્વાહ થઈ શકે તેમ હોય, તેવી પણ વસ્તુઓની ઈચ્છા હોય અને નકકી કરેલા અમુક સ્થાને જ રહેવું હોય, તે એથી તકલીફ પડે એ વાત જુદી છે; બાકી તે, જૈન સમાજ એ ભાગ્યશાળી છે કેસાધુ-સાધ્વીને ન સહી શકે એવી અગવડ પ્રાયઃ આવતી નથી. ગામડામાં જ્યાં એક નામ પણ જૈન મળી જાય છે, ત્યાં
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy