SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ २८४ ચાર ગતિનાં કારણે સ્વભાવદશાને જેને સાચે ખ્યાલ આવી ગયું હોય, તેને આત્માની વિભાવદશા ખટક્યા કરે. આરંભ કરે, એ કાંઈ આત્માને સ્વભાવ છે? નહિ જ. ત્યારે પરિગ્રહ, એ પણ કાંઈ આત્માને સ્વભાવ છે? નહિ જ. એટલે, આરંભ અને પરિગ્રહ તેને હોય, કે જે વિભાવદશામાં હોય! અને જેને આત્માની, એટલે કે પિતાની વિભાવદશામાં રસ હોય, તેને જ આરંભમાં અને પરિગ્રહમાં ખરેખ રસ આવે ને ? તમને તે, વિભાવદશા ગમતી નથી ને? મેક્ષ એ જ આ ત્માની સંપૂર્ણ સ્વભાવદશા છે-એ તમને ખ્યાલ આવી ગયે છે, માટે જ તમે જે કાંઈ ધર્મ કરે છે તે કરે છે ને? એટલે, તમે જે ધર્મ કરે છે, તે જેમ બને તેમ આરંભથી અને પરિગ્રહથી છૂટવાને માટે જ કરે છે, એમ પણ કહી શકાય ને? આરંભ ને પરિગ્રહ સ્વભાવે ખરાબ છે–એમ લાગે તે મેટે આરંભ અને પરિગ્રહ, એ સ્વભાવે એવી વસ્તુઓ છે કે-જીવને એ દુર્ગતિમાં જ ઘસડી જાય. આરંભ અને પરિગ્રહના ત્રણ વિભાગે પાડ્યા. મહા આરંભ અને મહા પરિગ્રહ, આરંભ અને પરિગ્રહ તથા અલ્પ આરંભ અને અપ પરિગ્રહ ! નરકગતિના આશ્રાને વર્ણવતાં, મહારંભને અને મહા પરિગ્રહને જણાવ્યા હતા; તિર્યંચગતિના આરોમાં, આરંભને અને પરિગ્રહને જણાવેલ છે, જ્યારે મનુષ્યગતિના આશ્રમમાં અભ્યારંભને અને અલ્પ પરિગ્રહને જણાવશે એટલે, આરંભથી અને પરિગ્રહથી જેટલી નિવૃત્તિ, તેટલું દુર્ગતિનું
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy