SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ ૨૭૭ ઉપર તથા તે માટે ત્યાગ અને તપને હોડમાં મૂકી દેવા જેવી માનસિક સ્થિતિ ઉપર, કાબૂ મેળવવું જોઈએ ને? આ બધા વિચાર કરે, તે મુક્તિને સાધવાનો વિચાર પણ આવે. એમ થાય કે-મુકિતને સાધીએ, તે કઈ પણ કમને કશે પણ ગ રહેવા પામે નહિ; અને કર્મને વેગ જ ન હોય, તે વિષયાદિને વેગ પણ હાય નહિ તથા શરીરને વેગ પણ હોય નહિ; એટલે, કઈ પણ પ્રકારના દુઃખને અવકાશ હાય નહિ.” આમ, જે નિમિત્તે દુર્ગાનની સંભાવના ગણાય, તે જ નિમિત્તે વિવેકી આત્મા, મુકિતના ધ્યાનને પામી શકે અને ઘણી ઘણું નિર્જરને સાધી શકે. તાત્કાલિક પ્રતિકૂળતા સહાય નહિ અને અનુકૂળતા ગમી જાય-એ બનવાજોગ દે; પરન્તુ, એ વખતે ય જેમ બને તેમ પ્રતિકૂળતાના ઠેષી નહિ બનતાં, કર્મના દ્રષી બનાય અને અનુકૂળતાના રાગી નહિ બનતાં, મુક્તિના રાગી બનાય, તે ક્રમે કરીને પ્રતિકૂળતામાં તથા અનુકૂળતામાં સમભાવ બન્યા રહે-એવી સ્થિતિને પામી શકાય; અને અને મુક્તિને પણ પામી શકાય. આ વિના તે, તમારે જોઈતો હોય દેવલેક અને તમે ઘસડાઈ જાવ દુર્ગતિમાં, એ પણ બનવાજોગ છે. આધ્યાનમાં તમે જે વખતે લીન બન્યા છે, તે વખતે જે આયુષ્યને બંધ પડી જાય, તે તિર્યંચગતિના આયુષ્યને બંધ પડે, માટે, વિષયાદિની પ્રતિકૂળતાને અંગે તથા ગાદિકને અંગે તેના તેના વિયેગની વિચારણું આવે અથવા તે અનુકૂળ વિષયાદિના સગની વિચારણા આવે, તે પણ તે વિચારણામાં એકતાનતા આવી જવા પામે નહિ, તેની તે ખાસ કાળજી રાખવી જોઈએ; અને એ વિચારણને પણ, પાપોદય તથા પુણ્યદયની વિવેકપૂર્વકની વિચારણું દ્વારા,
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy