SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ ૨૩૩ અને તે, પિતાને એ અભિલાષ ફળે–એ માટેના ઉપાયને શિધનારે તથા એ ઉપાયને શોધીને સેવનારો બને, એ માટે સંસારમાં ઉત્તમમાં ઉત્તમ કોઈ સ્થાન હોય, તો તે મનુષ્યગતિ જ છે. આપણે તે, આપણું પુણ્યોદયે આર્ય દેશાદિ સામગ્રીએ સહિત મનુષ્યભવને પામેલા છીએ. વળી, આપણે પુર્યોદય તે એટલે બધે સારે છે કે-આપણને જે આપણે મોક્ષપર્યાયને પ્રગટાવવાની ઈચ્છા થાય, તે એક્ષપર્યાયને પ્રગટાવવાના સાચા ઉપાયને શોધવાને માટે, આપણે ક્યાંય જવું પડે તેમ નથી. આપણું પુણ્ય, આપણને એવા કુળમાં લાવીને મૂકી દીધા છે અને એવી સામગ્રીને એગ કરાવી દીધું છે કેમોક્ષપર્યાયને પ્રગટાવવાને જે સારો ઉપાય છે, તે આપણને વગર મહેનતે સાંભળવાને મળી ગયું છે, એમ કહીએ તે પણ ચાલે. આટલી બધી હદ સુધી તે આપણું કામ આગળ વધી ગયું છે. હવે આપણે સાવચેતી એટલી જ રાખવાની છે કે અહીંથી પાછા ક્યાંય ધકેલાઈ જવા પામીએ નહિ અને એક્ષપર્યાયને પ્રગટાવવાની દિશામાં આગળ ધપીએ. આ સાવચેતી આપણામાં આવી ગઈ છે કે નહિ? અને, જે હજુ સુધીમાં પણ આ સાવચેતી ન આવી હોય, તે આ સાવચેતીને લાવવાને માટેની આપણી મહેનત ચાલુ છે કે નહિ? –એ વાતને દરેકે પોતે જ વિચાર કરવાનું રહે છે. એ માટે, દરેકે પિતે જ, પિતાની આન્તર દશાનું અવલેકન કરનારા બનવું જોઈએ. અમે તે બહુ બહુ કરીને પણ શું કરીએ? તમારી પાસે વાત મૂકીએ; આ વાત તમને ઝટ જચી જાય-એવી રીતિએ મૂકવાનો પ્રયત્ન કર્યા કરીએ; તમને વિચાર કરવાની સામગ્રી બતાવીને વિચાર કરવાની પ્રેરણું કરીએ; પણ વિચાર
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy