SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ચાર ગતિનાં કારણે પુણ્યદયે જે સુગ મળે છે, તેને સફલ કરે છે ને ? ત્યારે, હૈયામાં જે પરિવર્તન આવવું જોઈએ તે પરિવર્તન આવ્યા વિના જ, મળેલે સુગ સફલ થાય ખરો ? અને, આ પણે જે બરાબર વિચાર કરીએ નહિ તો હૈયામાં જે પરિવર્તન લાવવું છે, તે પરિવર્તન આવે ખરૂં? નહિ જ ને? સંસારમાં મજુરી જ કર્યા કરવાની છે અને મેળવેલું બધું મૂકીને ચાલ્યા જવાનું છે : માણસ જે જરાક ડાહ્ય થઈ જાય અને ડહાપણપૂર્વક વિચાર કરનારે બની જાય છે, એને જરૂર એમ લાગે કેખરેખર, મેક્ષપર્યાયની ઈચ્છા સિવાયની કઈ ઈચ્છા કરવા જેવી જ નથી.” વિવેકપૂર્વક જે વિચારી શકે અને સમજી શકે, તેને પિતાના એક્ષપર્યાયને પ્રગટ કરવાનું મન થયા વિના રહે જ નહિ. વારે વારે એને થાય કે ક્યારે મારા મેક્ષપર્યાયને હું પ્રગટ કરી શકું !”? કેમ ? આ સંસારમાં ક્યાંય ઠરીને ઠામ બેસવાની જગ્યા જ નથી. કોઈ પણ જગ્યાએ, જીવ, ઠરીને ઠામ બેસી રહી શકે નહિ, એનું નામ જ સંસાર છે. જીવ સંસારમાં છે અને જીવને ઠરીને ડામ બેસવાની જગ્યા છે, એમ જે કઈ કહેતું હોય, તે તે ખોટું જ કહે છે. સંસારમાં તે જન્મવું, કર્મ જીવાડે તેટલે કાળ ત્યાં જીવવું અને મરવું-એ કેમ ચાલ્યા જ કરે છે. પાછું જન્મવું, જીવવું ને મરવું. અનાદિકાળથી આપણે આવી દશા ભેગવીએ છીએ, કારણ કે આપણે હજુ સંસારમાં છીએ અને આપણે મક્ષપર્યાય પ્રગટ થયું નથી. જ્યાં સુધી મોક્ષપર્યાય નહિ પ્રગટે, ત્યાં સુધી હજુ પણ આપણે આવી જ દશા ભેગવ
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy