SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ - ૧૭૭ આ વિચાર કરે, તે તમને એમ પણ થાય કે-“મને આવા હિંસાદિના વિચાર આવ્યા શાથી?” એ વખતે ખ્યાલ આવે કે“ વિષયરસ અને કષાયરસની કેવી ભયંકરતા છે?” - સ૦ નબળાઈને અંગે પણ એવા વિચાર આવી જાય, એવું બને ને ? વિષયરસ અને કષાયરસ ન હોય અને માત્ર નબળાઈ હોય, તે તે અશુભ વિચારને હૈયામાં જબરો ડખ હોય. ક્યારે નબળાઈ ટળે, એમ થયા જ કરે. નબળાઈમાં પણું કેમ વેઠી લઉં અને પાપથી બચું”—એમ થયા કરે. “નબબાઈ પણ પાપના ઉદયનું પરિણામ છે.”—એ ખ્યાલ હય અને “નબળાઈના ગે પાપમાં પ્રવર્તવું પડે છે”—એ પણ ખ્યાલ હોય, એટલે નબળાઈના કારણે પણ વધુ પાપમાં ખૂચી જવાય નહિ, એની કાળજી તે હોય ને ? એના હૈયામાં પાપની રૂચિ તે હોય જ નહિ. તમે એ વિચારી જુઓ કે તમારા હૈયામાં પાપની રૂચિ છે કે નહિ? એ સમજવાને માટે, તમે તમારા અભિપ્રાયેના સ્વરૂપને પિછાનતાં શીખે. જે ઉપદેશમાં પરંપરાએ પણ સાધુપણાની વાત ન હોય, તે * વસ્તુતઃ ધર્મોપદેશ જ નથીઃ કૃષ્ણાદિક છ લેસ્યાઓના સ્વરૂપને સમજાવવાને માટે, ઉપકારી મહાપુરૂષોએ જે બે દષ્ટાને આપ્યાં છે, તે દષ્ટાતેને બરાબર ખ્યાલમાં રાખવાથી, આપણે આપણું અભિપ્રાના સ્વરૂપને સહેલાઈથી સમજી શકીએ એવું છે અને એથી, “આપણે કેવી લેફ્સામાં વર્તી રહ્યા છીએ –તેની પણ આપણને ઘણે અંશે કલ્પના આવી જાય. એ બે દષ્ટાન્તમાં ૧૨
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy