SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ચાર ગતિનાં કારણે પ્રમાણિકપણાના જ્ઞાન અને શ્રદ્ધાન વડે, સહજમાં ટાળી શકે છે. સૂક્ષ્માથે આદિના સંબંધમાં તેઓના અંતરમાં જ્યારે જ્યારે સંશય પેદા થવા પામે, ત્યારે ત્યારે તેઓ " तमेव सच्चं किस्सकं जं जिणेहिं पवेइयं " -ઈત્યાદિ આગમવચનને યાદ કરીને, પિતાના તે સંશયને સહેલાઈથી નિવારી શકે છે. તે જ સાચું અને શંકા વિનાનું છે, કે જે ભગવાન શ્રી જિનેશ્વરદેએ પ્રરૂપેલું છે ? –આ અને આવા ભાવનાં બીજાં પણ વાક્યોને યાદ કરીને, ભગવાન શ્રી જિનેશ્વરદેવેના વચનના પ્રામાણ્યને હૈયામાં આગળ કરાય, તે સૂમાર્થ આદિના સંબંધમાં પ્રાયઃ સંશય ઉત્પન્ન થવા પામે નહિ; અને કદાચ ઉત્પન્ન થવા પામે, તે ય ઉત્પન્ન થવા પામેલે તે સંશય ટકી શકે શી રીતિએ? કઈ પણ બાબત હોય, તે સમજાય નહિ અને સંશય પેદા થઈ જાય, તે એના નિવારણને સૌથી સારામાં સારે ઉપાય એ જ છે કે ભગવાનના વચનની પ્રમાણિકતાને યાદ કરવી.” ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ જે કાંઈ કહ્યું છે, તે સાચું જ છે એમ મનમાં આવ્યું, એટલે એ તારકનું કઈ વચન ન સમજાતું હોય ને સંશય પેદા થયે હોય, તે ય એમ થાય કે-“મારૂં જ્ઞાન કેટલું? મારી બુદ્ધિ કેટલી? હું તે છઘસ્થ છું; મને ન પણ સમજાય; પણ આ વચન ભાગવાન શ્રી જિનેશ્વરદેવેએ કહેલું છે, માટે આ વચન તે યથાર્થ જ છે, જે કઈ આત્માઓએ સંશય આદિથી બચવું હોય અને માર્ગમાં સુસ્થિર રહેવું હોય, તેઓએ ભગવાન શ્રી જિનેશ્વરદેના વચનની પ્રમાણિકતાને અંગેની વાતનું તે એવું રટણ
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy