SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ચાર ગતિનાં કારણે ગુરૂની વાતને સાંભળી નહિ. જે ગુરૂએ સાત વિદ્યાઓ અને મંત્રેલે રજોહરણ આપે ન હોત, તે કદાચ રોહગુપ્ત પિતે હત-ન હતે થઈ જાત, તે ગુરૂના એટલા મેટા ઉપકારને પણ, મમતે ચઢેલે રોહ ગુપ્ત ભૂલી ગયે. ગુરૂએ રેહગુપ્તને રાજસભામાં જઈને સાચી વાત કહી આવવાનું વારંવાર કહ્યું, તે ય તેણે એ ગણકાર્યું નહિ અને ઉપરથી ગુરૂને કહ્યું કેજગતમાં રાશિ ત્રણ જ છે. પોતે બેલેલી વાતના આગ્રહમાં, એ એ પડી ગયે કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવના કથનને અને ગુરૂના ઉપકારને પણ એ ભૂલી ગયે. આથી, લેકમાં ત્રણ રાશિની માન્યતા પ્રવર્તે નહિ-એ માટે, શ્રીગુપ્ત નામના આચાર્યભગવાન જાતે રેહગુપ્તને લઈને રાજસભામાં ગયા અને ત્યાં રોહગુપ્તની સાથે તે આ ચાર્યભગવાને વાદ કર્યો રોહગુપ્ત જ્યારે કેઈઉપાયે માન્ય નહિ, ત્યારે આચાર્યભગવાને તેને નિહનવ તરીકે જાહેર કર્યો. કુવાદી સાથે વાદમાં ઉતરવાનો પ્રસંગ જ ન આવ્યો. હોત, તે આવું બનત? એ પછી પણ, રહગુપ્તને એના મમત્વે કેવું ભયંકર નુકશાન કર્યું? જમાલીને પોતાની માન્યતાનું મમત્વ થઈ ગયું, તો એણે પણ ભગવાનના વચનને ખોટું કહી દીધું ને? વિદ્વાન સમ્યગ્દષ્ટિ આત્માઓ પણ, જ્યારે એવા મમત્વને વશ થઈ જાય છે, ત્યારે તેઓ આભિનિવેશિક મિથ્યાત્વના સ્વામી બની જાય છે. પિતાના અર્થનું મમત્વ : આમિનિવેશિક મિથ્યાત્વને ઉદય થઈ જવા પામે છે, તે તે સમ્યગ્દષ્ટિ આત્માઓને જ થાય છે. આમ છતાં ય,
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy