SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા ભાગ કષાયનું જોર મને દુષ્કૃતમાં યાજનાર છે, માટે હું સુકૃતને આચરૂં, કે જેથી મારા વિષયના રસ અને કષાયનું જોર ઘટે અને અન્તુ એનાથી હું છૂછ્યું, એટલે મારાથી કદી પણ દુષ્કૃત થવા પામે નહિ’–આવા પ્રકારને ભાવ, સુકૃતના આચરણમાં જોઈ એ ને ? આવી વૃત્તિ જેનામાં આવે, તે જ સાચા ભાવે દુષ્કૃતની નિન્દા અને સુકૃતની અનુમેાદના કરી શકે ને ? આવી વૃત્તિથી, પેાતાના દુષ્કૃતની નિન્દા અને સુકૃતની અનુમેાદના કરનારા આત્માને, એમ જ લાગે કે-એક શ્રી વીતરાગ સિવાય મારે માટે કશું જ શરણ ચેાગ્ય નથી અને શ્રી વીતરાગનું શરણુ સ્વીકાર્યાં વિના ચાલે તેમ નથી, કારણ કે—એ વિષય અને કષાયથી મૂકાએલા છે અને મારે વિષય અને કષાયથી મૂકાવું છે ! ’ વિષયના રાગ પણ હેાય અને કષાયનું જોર પણ હાય, પરન્તુ જો એ ખટકે તેા જ શ્રી વીતરાગના શરણને સ્વીકારી શકાય અને શ્રી વીતરાગના શરણને સ્વીકારીને પ્રયત્ન કરતે કરતે વીતરાગ બની શકાય. ઘાતી અને અઘાતી કર્મો તરફ કેવા ભાવ છે ? વિષયના રસ અને કષાયનું જોર, આપણને દુષ્કૃતમાં ચેાજે છે, પણ વિષયના રસ અને કષાયનું જોર કાના પ્રતાપે છે? એવા પ્રકારના પાપકર્મના ચેગ આપણને છે, માટે જ આપણે વિષયા તરફ અને કષાયા તરફ ખીંચાઇએ છીએ, એમ થાય છે ? વિષય-કષાયની આધીનતા, એ જ સંસાર છે. સંસારમાં રહેવાના સ્વભાવ આપણા નહિ; આપણા સ્વભાવ તે મેાક્ષમાં રહેવાને; પણ કર્યું આપણને સંસારમાં શકી રાખ્યા છે. કર્મના ચેાગે જ, આપણે અનાદિકાલથી રખડીએ ૫૩
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy