SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ ૫૧ મદદ કરે ! આપણને આપણાં દુષ્કતો ખે છે ખરાં? પિતાનાં દુષ્કૃતની નિન્દા ક્યારે થાય?“મારાં દુષ્કૃત જ મારી સઘળી ખરાબીનું મૂળ છે”—એમ લાગે છે ને ? દુકૃતના ત્યાગની વાત તે પછી છે, પણ દુષ્કૃત તરફ અણગમે તે ખરે ને? અણગમે ન હોય, તો એની નિન્દા થાય શી રીતિએ? આપણું જીવનમાં દુષ્કૃત કેટલાં છે અને સુકૃત કેટલાં છે, એને વિચાર, તમે, કદી પણ કરે છે ખરા? સ, દુષ્કૃત ઘણાં હોય ત્યાં શું થાય ? દુષ્કૃત ઘણાં હોય અને સુકૃત ડાં પણ હોય, પણ દુષ્કતને તજવાની ને સુકૃતને સેવવાની વૃત્તિ ખરી? સુકૃત થોડું પણ થાય, તે તેને આનંદ ખરે ને? સરસવ જેટલું સુકૃત હોય, પણ તે જેટલું થાય છે તેટલું ભાવપૂર્વકનું થાય છે ને? દુષ્કૃત મોટે ભાગે, સુકૃત , છતાં સુકૃતના ભાવની વાત આવે કે-લોચા વળે. ભાવ કેમ આવતું નથી ? દુષ્કૃત ઉપર તિરસ્કાર જ નથી, માટે ને? એટલે, વસ્તુતઃ નથી દુષ્કતની નિન્દા કે નથી સુકૃતની અનુમોદના! સુકૃત સારા ભાવે ક્યારે થાય? દુષ્કૃત ખટકે તો ! દુષ્કૃત ખટક્યા વિના, સુકૃત સારા ભાવે થાય નહિ ! પહેલાં દુષ્કૃતની નિંદા કહી અને તે પછી સુકૃતની અનુમોદના કહી, એનું કારણ શું? દુષ્કૃત નિન્દાપાત્ર છે-એમ લાગ્યા વિના, સુકૃત અનુમોદનાને પાત્ર લાગે જ નહિ! દુષ્કૃતની નિન્દા અને સુકૃતની અનુમોદના દ્વારા શ્રી વીતરાગના શરણને કેમ પમાય? દુષ્કૃત નિન્દાપાત્ર લાગે, એટલે વિષયને રસ અને
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy