SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ તેમાં બે પ્રહર જેટલે સમય ભગવાન દેશના દે અને એક પ્રહર જેટલો સમય ગણધરદેવ દેશના દે. એમાં શું કહ્યું હશે? દુઃખના દ્વેષી જાને, સંસારના સુખના દ્વેષી બનવાની પ્રેરણું કરેલી. સંસારના સુખને ઠેષ પ્રગટે અને મેક્ષસુખને રાગ પ્રગટે, પછી મુક્તિ છેટી શાની રહે? ભગવાને એક માત્ર મોક્ષમાર્ગની જ પ્રભાવના કરી, કેમ કે-સુખને ઉપાય, એ જ એક છે. આજે દુઃખના ઉપર જે દ્વેષ છે, તે છેષ જે સંસારના સુખ ઉપર થઈ જાય, તે દુઃખ ગયું સમજે. સંસારના સુખને રાગ જ્યાં કાઢવા જેવું લાગે, એટલે કર્મ ધ્રુજવા માંડે. મેક્ષમાર્ગને આરાધો હોય, તો દુઃખના ડરને અને સંસારના સુખના રાગને છોડવાને અભ્યાસ કરે. ખ્યાલ. કરે કે-આપણે દુઃખના દ્વેષી અને સુખના પ્રેમી છીએ, માટે કર્મનું જોર ચાલે છે. દુઃખથી ડરીએ નહિ અને સુખને ઈચ્છીએ નહિ, તે કર્મ ભાગવા માંડે. એ સમજે કે–જેના અમે માલિક બની બેઠાં હતાં, તે હવે જાગે. સંસારચક બંધ કેમ થાય ? જેનામાં સુખને દ્વેષ પ્રગટે, તે ત્યારથી જ બાર આની સુખી થઈ જાય. જગતમાં ઈચ્છાનું જ દુઃખ મેટું છે. ઈચ્છા થઈ, એટલે શાણે પણ ગમાર બને. સમજુ પણ ઈચ્છાને આધીન થાય, તો માથે હાથ દઈને બેસે. ડાહ્યામાં ડાહ્યા માણસને પણ જે ઈચ્છાનું ભૂત વળગી જાય, તે તે પામર બની જાય. જે કઈ ઈચ્છાને આધીન બને, તે દુઃખ, દુઃખી ને દુઃખી જ હેય. સંસારના સુખ ઉપર ઠેષ આવી ગયે, એટલે એ બાદશાહ બની ગયો. કાંઈ જોઈતું હોય, તે એ.
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy